SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત શુદ્ધ પ્રકાશ્ય રે ૧૬૩ વળી તેઓ હાથધમાં લખે છે : “હે રાત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હે. આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવે તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રૂચિ થઈ. પરમ વીતરાગસ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાને માર્ગ ગ્રહણ થયે.” પિતાના જીવનવૃત્તાંતરૂપ કાવ્યમાં શ્રીમદ્દ લખે છે – ધન્ય રે દિવસ આ અહે, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી, મો ઉદયકર્મને ગર્વ રે. ધન્ય ઓગણીસ ને સુડતાલીસે, સમકિત શુદ્ધ પ્રકાડ્યું રે ક્ષત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય એક જ વાક્યમાં સમ્યગ્દર્શનનું માહાન્ય શ્રીમદ્ પ્રગટ કરે છે – અનંત કાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.” આત્મદર્શન કે સમ્યગ્દર્શનની નિર્મળતા શ્રીમદને સં. ૧૯૪૭ માં થઈ એમ ઉપર પિતે કાવ્યમાં જણાવે છે. એ જ વર્ષમાં– Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy