SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા કેઈક વિરલા મહાભાગ્યશાળી પુરુષે આ સમ્યક્દર્શન કે આત્મજ્ઞાનની દશા પામી શકે છે. શાસ્ત્રો પિકારી પિકારીને કહે છે કે સમ્યગ્દર્શન સહિત નરકાવાસ સારે, પણ સમ્યગદર્શન વિના સ્વર્ગનાં ઉત્તમ સુખ પણ ગજસ્નાન જેવાં નિરર્થક છે. એક ક્ષણ પણ જેને સમ્યગ્દર્શનને અનુભવ થયો હોય તે અવશ્ય મેક્ષે જાય છે એ સિદ્ધાંત છે. સમ્યગ્દર્શન પ્રગટ થવાથી આત્માના સર્વ ગુણે સદ્ગુણરૂપે પ્રકાશે છે એટલે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની એકતારૂપ મેક્ષમાર્ગ ખુલ્લે થાય છે; અને ગમે તેટલું જ્ઞાન, ચારિત્ર કે શ્રદ્ધા હોવા છતાં સમ્યગ્દર્શનના અભાવે તે મિથ્યાદર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રરૂપે વગેવાય છે અને તેથી સંસાર પરિભ્રમણને પાર આવતું નથી. આચારાંગ” નામના જૈનસૂત્રમાં કહ્યું છેઃ “વ સંમતિ પરિહા તે મોતિ પાસ” –જ્યાં સમક્તિ એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણે. શ્રીમદે સં. ૧૯૪૬ ના પિષ માસમાં અંગત નેધપિથીમાં લખ્યું છે : “આવા પ્રકારે તારે સમાગમ મને શા માટે થયે? ક્યાં તારું ગુપ્ત રહેવું થયું હતું? સર્વગુણાંશ તે સમ્યકત્વ.” તેવી જ રીતે સં. ૧૯૪૭ ને કાર્તિક સુદ ૧૪ના એક પત્રમાં શ્રીમદ્દ લખે છે : “આત્મા જ્ઞાન પામ્યા એ તે નિ સંશય છે, ગ્રંથિભેદ થયે એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy