________________
૧૫ “સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે
“અંતરંગ ગુણ ગાઠડી રે, જનરંજને રે લોલ, નિશ્ચય સમકિત તેહ રે, દુઃખભંજને રે લોલ; વિરલા કેઈક જાણશે રે, જનરંજને રે લોલ, તે તે અગમ અછત રે, દુઃખભંજન રે લાલ.”
–શ્રી યશોવિજયજી પાયોનિયર પત્રમાં શ્રીમન્ના જીવનની રૂપરેખા છે, તેમાં નીચે પ્રમાણે જણાવ્યું છેઃ
- “જ્યારે શ્રીમદ્ ૨૧ વર્ષના હતા ત્યારે તેમણે ધંધામાં પ્રયાણ કર્યું, અને ઘણું ટૂંક વખતમાં એક બાહોશ ઝવેરી તરીકેની નામના મેળવી. વધતા જતા વ્યાપારની ઉપાધિઓમાં પણ ધર્મ અને તત્વજ્ઞાનના પિતાના પ્રિય અભ્યાસમાં તેઓએ ખલેલ આવવા દીધી નહીં. પિતાના ઉદ્યોગરત જીવનમાં ચૂપકીદીથી જ્ઞાનવૃદ્ધિ કરતા હતા. તેમ જ હંમેશાં પુસ્તકમાં ગૂંથાયેલા રહેતા હતા. વળી વર્ષમાં કેટલાક મહિનાઓ તે પિતે મુંબઈ છોડી ચાલ્યા જતા અને પિતાની પેઢીએ કહી જતા કે જ્યાં સુધી પોતે લખે નહીં, ત્યાં સુધી કેઈએ તેમની સાથે પત્રવ્યવહાર પણ ચલાવવું નહીં. ગુજરાતનાં વનમાં તેઓ એકાંતવાસ ગાળતા અને ત્યાં રહી ચિંતવન અને વેગમાં દહાડા અને અઠવાડિયાં વ્યતીત કરતા. તેઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org