________________
ખંભાતના મુમુક્ષુજને
૧૫૯ આ સાંભળી શ્રી લલ્લુજીને પિતાના દોષ પ્રગટ દેખાયાથી એટલી બધી શરમ આવી ગઈ કે જાણે જમીન માર્ગ આપે તે જમીનમાં સમાઈ જાઉં, એવી નમ્રતા પ્રગટતાં તેમણે કહ્યું: “હું ત્યાગી નથી.” ત્યાં તે શ્રીમદ્જી બેલ્યાઃ “મુનિ, હવે તમે ત્યાગી છે.”
એક દિવસે શ્રી લલુજી સ્વામીએ શ્રીમને કહ્યું: “હું બ્રહ્મચર્ય માટે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ (એક દિવસ ઉપવાસ ને એક દિવસ ખાવું એમ) કરું છું અને કાર્યોત્સર્ગ (ધ્યાન) કરું છું. છતાં માનસિક પાલન બરાબર થઈ શકતું નથી.”
શ્રીમદે કહ્યું : “લેકદ્રષ્ટિએ કરવું નહીં લેકદેખામણ તપશ્ચર્યા કરવી નહીં. પણ સ્વાદને ત્યાગ થાય, તેમ જ ઊણદરી તપ (પેટ ઊણું રહે તેવું, ખૂબ ધરાઈને ખાવું નહીં) થાય તેમ આહાર કર; સ્વાદિષ્ટ ભજન હોય તે બીજાને આપી દેવું
સ્વામીજીએ ફરી પૂછ્યું: “હું જે જે જોઉં છું તે ભ્રમ છે, જૂઠું છે, એમ અભ્યાસ કરું છું.”
શ્રીમદે કહ્યું : “આત્મા છે એમ જોયા કરે.”
શ્રી અંબાલાલભાઈ, ભાઈ ત્રિભોવનભાઈ આદિ અનેક ભાઈઓને ખંભાતમાં શ્રીમદ્ન સમાગમ થયેલે અને ધર્મજિજ્ઞાસા જાગ્રત થયેલી. તેથી શ્રીમને મુંબઈ જવું થયું તાપણુ પત્રવ્યવહારથી તે ધર્મજિજ્ઞાસા પિષતા રહેતા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org