________________
૧૫૮
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ સ્વામીજીએ કહ્યું : “આપને દેખીને અતિ હર્ષ, પ્રેમ આવે છે; અને જાણે અમારા પૂર્વભવના પિતા હો એટલે બધે ભાવ આવે છે; કોઈ પ્રકારને ભય રહેતું નથી; આપને જોતાં એવી નિર્ભયતા આત્મામાં આવે છે.”
શ્રીમદે ફરી પૂછ્યું: “તમે અમને શાથી ઓળખ્યા?” સ્વામીજીએ કહ્યું: અંબાલાલભાઈના કહેવાથી આપના સંબંધી જાણવામાં આવ્યું. અમે અનાદિ કાળથી રખડીએ છીએ, માટે અમારી સંભાળ લે.”
શ્રીમદે “સૂયગડાંગ” સૂત્રમાંથી થોડું વિવેચન કર્યું અને સત્ય ભાષા વગેરે વિષે બંધ કર્યો. સાત દિવસ સુધી શ્રીમદ્ ખંભાત રહ્યા ત્યાં સુધી શ્રી લલ્લુજી સ્વામી રેજ શ્રીમના સમાગમ અર્થે શ્રી અંબાલાલને ઘેર જતા.
એક દિવસ શ્રી હરખચંદજી મહારાજે શ્રી લલુજીને પૂછ્યું કે તમારે શી વાત થાય છે ? શ્રી લલ્લુજીએ ટૂંકામાં એટલું જ કહ્યું : “જ્ઞાન અને ક્રિયા બને કરવાનું કહે છે.” શ્રી હરખચંદજી બોલ્યા : “પહલે સબ બાત કહતા થા, અબ કુછ નહીં કહતા.” | શ્રી લલ્લુજી સ્વામીએ શ્રીમને જણાવ્યું: “મેં સાધનસંપન્ન કુટુંબ, વૈભવ, વૃદ્ધ માતા, બે બૈરી, એક પુત્ર આદિને ત્યાગ કરી દીક્ષા લીધી છે.”
તે ત્યાગને ગર્વ ગાળી નાખવા શ્રીમદ્જી તડૂકીને બોલ્યા: શું ત્યાખ્યું છે? એક ઘર છોડી કેટલાં ઘર (શ્રાવકેનાં) ગળે નાખ્યાં છે? એ બે સ્ત્રીને ત્યાગ કરી કેટલી સ્ત્રીઓ પ્રત્યે દ્રષ્ટિ ફરે છે? એક પુત્ર ત્યાગી કેટલાં છેકરાં પ્રત્યે પ્રીતિ થાય છે?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org