________________
ખંભાતના મુમુક્ષુજને
૧૫૭ જવાથી સારાં પગલાંના ગણાતા મંગલકારી તથા ભદ્રિક આ આગેવાન સાધુ, માત્ર બાવીસ વર્ષની યુવાવસ્થામાં પ્રવેશ કરનાર જૈનધમી વિદ્વાન કવિ તરીકે પ્રસિદ્ધ ગૃહસ્થને નમસ્કાર કરે એ આશ્ચર્યકારક વિરલ પ્રસંગ અચાનક એકાંતમાં વિધિવશ બની આબે, તે કોઈ કુશળ કૃષિકાર ખેતરના ખૂણામાં એકાંત નાના ક્યારામાં ઈલાયચીનાં બીજ વાવે તે આ પ્રસંગ, હાલ મેટા વિસ્તારવાળા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના સ્થાપક તરીકે પ્રસિદ્ધ શ્રીમદ્ લઘુરાજ સ્વામીને સત્ય માર્ગમાં પ્રવેશ કરાવનાર સાચી જન્મગાંઠને દિવસ ગણાવા યોગ્ય પ્રથમ માંગલિક પ્રસંગ બની આવ્યો.
શ્રીમદે શ્રી લલ્લુજી સ્વામીને પૂછ્યું: “તમારી શી ઈચ્છા છે?”
સ્વામીજીએ વિનયસહિત હાથ જોડીને યાચનાપૂર્વક કહ્યું : સમકિત (આત્માની ઓળખાણ) અને બ્રહ્મચર્યની દ્રઢતાની મારી માગણી છે.”
શ્રીમદ્ થેડી વાર મૌન રહ્યા અને કહ્યું, “ઠીક છે.” પછી સ્વામીજીના જમણા પગને અંગૂઠો તાણ શ્રીમદે તપાસી જ; અને ઊઠીને બધા નીચે ગયા. શ્રી અંબાલાલને ઘેર જતાં શ્રીમદે જણાવ્યું: “આ પુરુષ સંસ્કારી છે. આ રેખાલક્ષણો ધરાવનાર પુરુષ સંસારે ઉત્તમ પદ પામે, ધર્મે આત્મજ્ઞાની મુનિ થાય.”
બીજે દિવસે શ્રી અંબાલાલને ઘેર શ્રી લલ્લુજી સ્વામી શ્રીમદુના સમાગમ માટે ગયા, ત્યાં શ્રીમદે એકાંતમાં તેમને પૂછ્યું: “તમે અમને માન કેમ આપે છે?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org