________________
૧૫૬
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા સમકિત હોય કે નહીં ? ત્યારે મહારાજે ના પાડી તેથી શ્રીમદે ફરી પૂછ્યું : “કેઈ શાસ્ત્રમાં છે?” શ્રી હરખચંદજી મહારાજે કહ્યું : “દશમા ઠાણુગમાં ક્ષાયક સમકિત ન હોવા વિષે છે.” શ્રી લલ્લુજીએ ઠાણાંગ સૂત્ર આપ્યું. તે તપાસતાં તેમાંથી એ વાત મળી નહીં; શ્રીમદ દશમ ઠાણુગને ભાવ વાંચી સંભળાવ્યો. તે સાંભળતાં સર્વેને શાંતિ ઊપજી અને તેમની વિદ્વત્તાની પ્રશંસા કરવા લાગ્યા. શ્રીમને શ્રી લલ્લુજીએ ઉપર મેડે પધારવા વિનંતી કરી અને શ્રી હરખચંદજી મહારાજને પૂછ્યું : “હું તેમની પાસેથી કંઈ અવધારું?” શ્રી હરખચંદજી મહારાજની આજ્ઞા મળી એટલે શ્રી લલ્લુજીએ ઉપર જઈને શ્રીમને નમસ્કાર કર્યા. શ્રીમદે નમસ્કાર નિવારણ કરવા છતાં તેમણે ઉમંગથી ઉત્તમ પુરુષ જાણ અટકયા વગર નમસ્કાર કર્યો.
આ સામાન્ય લાગતે પ્રસંગ, અનેક જીનાં જીવન પલટાવનાર, અસત્યમાંથી સત્યમાં લાવનાર, અનેક પ્રકારના આગ્રહરૂપી ખાડાટેકરા ઓળગાવી વિદ્યાધરના વિમાનમાં પ્રવેશ કરાવી તત્વજ્ઞાનરૂપી આકાશમાં વિહાર કરાવનાર, ચમત્કારી કાંતિકારક હતે.
ઉમ્મરમાં શ્રીમથી ચૌદ વર્ષે મેટા, ધનાઢ્ય કુટુંબમાં એકના એક પુત્ર છતાં સર્વસ્વ ત્યાગ કરી, બીજા ત્રણ ઓળખીતા કુટુંબીઓ સાથે દીક્ષા લઈ, તે વખતે ખંભાતના સંધાડામાં માત્ર ચાર જ સાધુ રહ્યા હતા તેની સંખ્યા બમણું કરનાર અને વિનયાદિ ગુણેથી આચાર્યને પ્રસન્ન કરી સર્વ સાધુઓમાં પાંચ-છ વર્ષમાં પ્રધાન પદ પામનાર, તેમ જ તેમના દીક્ષિત થયા પછી તે સંઘાડામાં ચૌદ સાધુઓ થઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org