________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા આજને આકાશ-પાતાળનું અંતર છે, તેને છેડે અને આને છેડે કોઈ કાળે જાણે મળે મળે તેમ નથી. પણ શાચ કરશે કે એટલી બધી વિચિત્રતાનું કોઈ સ્થળે લેખન-ચિત્રણ કર્યું છે કે કંઈ નહીં? તે ત્યાં એટલું જ કહી શકીશ કે લેખન–ચિત્રણ સઘળું સ્મૃતિના ચિત્રપટમાં છે. બાકી પત્ર-લેખિનીને સમાગમ કરી જગતમાં દર્શાવવાનું પ્રયત્ન કર્યું નથી. યદિ હું એમ સમજી શકું છું કે તે વયચર્યા જનસમૂહને બહુ ઉપયેગી, પુનઃ પુનઃ મનન કરવા યેગ્ય, અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે; પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચોખ્ખી ના કહી હતી, એટલે નિરુપાયતાથી ક્ષમા ઈચ્છી લઉં છું. પરિણામિક વિચારથી તે સ્મૃતિની ઈચ્છાને દબાવી, તે જ સ્મૃતિને સમજાવી, તે વયચર્યા ધીરે ધીરે બનશે તે અવશ્ય ધવળ-પત્ર પર મૂકીશ; તોપણ સમુચ્ચય વયચર્યા સંભારી જઉં છું –
સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમત-ગમત સેવી હતી. એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના –કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર–મારા આત્મામાં થયા કરતી હતી. રમત-ગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવાપીવાની, સૂવા-બેસવાની, બધી વિદેહી દશા હતી, છતાં હાડ ગરીબ હતું. એ દશા હજુ બહુ સાંભરે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હોત તે મને મોક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહીં. એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે.
૧. રડી પડે તેવું અંતઃકરણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org