________________
સ્વ-વૃત્તાંત કરતે. તેમાં ઊંચા આકાશમાંની મનહર સંધ્યાના રંગ કે ઇંદ્રધનુષના રંગ સરોવરના નિર્મળ જળમાં પ્રતિબિંબ પામે તેમ શ્રીમનાં માતુશ્રી દેવબાઈ જૈન સંસ્કારે લાવ્યાં હતાં. વવાણિયાનાં બીજાં વણિક કુટુંબ પણ જૈનધર્મને અનુસરનારાં હતાં. તે સર્વ સંસ્કારનું મિશ્રણ કોઈ અજબ રીતે ગંગા-યમુનાના સંગમની પેઠે આપણા બાળમહાત્માના હૃદયમાં રેલાતું હતું. પિતાની પ્રૌઢ વાણીમાં બાવીસ વર્ષની વયે આ બાળવયનું વર્ણન “સમુચ્ચય વયચર્યા” નામના લેખમાં પિતે કર્યું છે તે જ અહીં ઉતારી લઉં છું:
સમુચ્ચય વયચર્યા સંવત ૧૯૨૪ના કાર્તિક સુદિ ૧૫, રવિએ મારે જન્મ હોવાથી આજે મને સામાન્ય ગણતરીથી બાવીસ વર્ષ પૂરાં થયાં. બાવીસ વર્ષની અ૫ વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં અને ધન સંબંધમાં દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિરચના, નાના પ્રકારનાં સંસારી મેજા, અનંત દુઃખનું મૂળ, એ બધાને અનેક પ્રકારે મને અનુભવ થયે છે. સમર્થ તત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકએ જે જે વિચારો કર્યા છે તે જાતિના અનેક વિચારે તે અલ્પ વયમાં મેં કરેલા છે. મહાન ચક્રવતીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિસ્પૃહી મહાત્માએ કરેલા નિસ્પૃહાના વિચાર મેં કર્યા છે. અમરત્વની સિદ્ધિ અને
ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. અલ્પ વયમાં મહત વિચાર કરી નાખ્યા છે. મહત વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું બહુ ગંભીર ભાવથી આજે હું દૃષ્ટિ દઈ જોઉં તે પ્રથમની મારી ઊગતી વિચારશ્રેણી, આત્મદશા અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org