________________
સ્વ-વૃત્તાંત
નિદ્રામાંથી જાગતાં કોઈ આળસ મરડીને બેઠે થાય અને ઘરમાં ચોરી થયાનાં ચિહ્ન જોતાં સંભ્રમમાં પડી જાય તેમ, ઈ. સ. ૧૮૫૭ના સંક્ષેભકાળને એક દસકે વીત્યા પછી હિંદમાં સંસાર-સુધારે, દેશની આબાદી, કેળવણી અને ધર્મો દ્વારનાં બીજ વાવવાની શરૂઆત થતી હતી. તે જાગૃતિકાળમાં, પૂર્વમાં બંગાળમાં રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદને પ્રયત્નનાં મૂળ જામતાં હતાં. ઉત્તરમાં આર્યસમાજ અને સ્વામી રામતીર્થની તૈયારીઓ થતી હતી. દક્ષિણમાં પેશ્વાઈનાં તાજાં
સ્મરણમાં લેકમાન્ય બાળગંગાધર ટિળક અને ગોપાલકૃષ્ણ ગોખલે ઊછરતા હતા. મહાત્મા ગાંધીજીના જન્મ પહેલાં એક વર્ષે વવાણિયા બંદર નામના કાઠિયાવાડના એક શાંત રમણીય ગામના વણિક કુટુંબમાં સંવત ૧૯૨૪ના કાર્તિક સુદ ૧૫ ને રવિવારે શ્રીમદ્ રાજચંદ્રને જન્મ થયેલ હતું. તેમના પિતાનું નામ મહેતા રવજીભાઈ પંચાણભાઈ હતું અને તેમનાં માતાનું નામ દેવબાઈ હતું. કળિકાળસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યની જન્મતિથિને દિવસે કાર્તિકી પૂર્ણિમાએ આ મહાત્માએ પણ જન્મ લીધો હતે. એ જ વર્ષમાં આત્મજ્ઞાની ચિદાનંદજી મહારાજને દેહ છૂટ્યાના સમાચાર સાંભળ્યા છે.
શ્રીમદ્દના પિતામહ શ્રીકૃષ્ણના ભક્ત હતા. ભક્તિરૂપી જળને પ્રવાહ એ કુટુંબરૂપી સરેવરમાં અસ્મલિત વહ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org