________________
૧૪
ખંભાતના મુમુક્ષુજનો
શ્રી જૂઠાભાઈના સમાગમથી ભાઈશ્રી અંબાલાલ લાલચંદ આદિ ખંભાતના જે ભાઇએ અમદાવાદ ગયેલા તેમને શ્રીમન્ના સમાગમની તીવ્ર પિપાસા જાગી હતી તેથી તેમણે શ્રીમદ્ ઉપર ખંભાત પધારવાની વિનંતીરૂપે પંદરવીસ પત્રો ઉપરાઉપરી લખ્યા અને ખંભાત પોતે ન પધારી શકે તે વવાણિયા આવવાની તેમણે આતુરતા જણાવી આજ્ઞા મંગાવી. છેવટે ખંભાત અનુકૂળતાએ આવવાનું બનશે એવા પત્ર આવવાથી તે ભાઈઓને સંતાષ થયા.
ન
સ્થાનકવાસી સંપ્રદાયના આ ભાઈએ હતા તેથી દરરાજ અપાસરે જતા, પણ શ્રી જુઠાભાઈના સમાગમ થયા પછી તે એકાંતમાં અપાસરામાં બેસીને શ્રીમદ્ના પત્રો ઉતારી આણેલા તે વાંચતા વિચારતા, પણ વ્યાખ્યાનમાં જતા નહીં.
એક દિવસે તે પત્રો વાંચતા હતા. ત્યારે તે ખંભાત સંઘાડાના મુખ્ય આચાર્ય શ્રી હરખચંદજી મહારાજ મેડે વ્યાખ્યાનમાં શ્રી ભગવતી સૂત્ર વાંચતા હતા; અને નીચે તે મહારાજના સાધુએમાં પ્રભાવશાળી અને વિનયસંપન્ન ગણાતા શ્રી લલ્લુજી મહારાજ એક શાસ્ત્ર ભણેલા પાટીદાર ભાઈ દામેાદરભાઇ સાથે ઉપરથી વાંચેલાં શ્રી ભગવતી સૂત્રનાં પાનાં આવતાં તે વાંચતા હતા. તેમાં ભવસ્થિતિ પાકે ત્યારે માક્ષ થાય છે એ વાત વાંચતાં શ્રી લલ્લુજીને શંકા થઈ કે જે
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International