________________
ભગતના ગામના ભક્ત શિરેમણિ...
૧૫૩ હે શ્રી ભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો.”
વળી શ્રીમદ્દ લખે છે: “આપને વિજ્ઞાન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું. અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું.”
લૌકિક દ્રષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તે પછી અલૌકિક દ્રષ્ટિએ કેણ પ્રવર્તશે ?.. “માગી ખાઈને ગુજરાન ચલાવશું; પણ ખેદ નહીં પામીએ; જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણમાત્ર છે. આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારે નમસ્કાર હો ! એવું જે વચન તે ખરી જગ્યતા વિના નીકળવું સંભવિત નથી.”
જેના વેગે અને બધે અન્ય જીને અંતરંગ વૈરાગ્યની વૃદ્ધિ થતાં સમાધિમરણની અને સમ્યક્દર્શનની પ્રાપ્તિ સુલભપણે થતી તે શ્રીમદૂની અદૂભુત અલૌકિક આત્મિક દશાનું વર્ણન કરવાને આ લેખિની સમર્થ નથી. જ્યાં મતિની ગતિ પહોંચતી નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? તેથી જ કાર્ય ઉપરથી કારણની સમર્થતા સમજાય એવા પરિચયી જનના પ્રસંગની કથા વડે શ્રીમની કથા સમજવી સુલભ જાણી, તેમને પ્રભાવ સંસ્કારી જી ઉપર કે પડતે તે જણાવવા પ્રયત્ન કર્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org