________________
ભગતના ગામના ભક્તશિરોમણુિ...
૧૫૧
શ્રીમદે છેવટે ત્રણ પત્ર શ્રી સેાભાગ્યભાઈ ઉપર લખેલા શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં આંક ૭૭૯, ૭૮૦, ૭૮૧ રૂપે છપાઈ ગયા છે. તે સમાધિમરણને ઇચ્છનાર દરેક મુમુક્ષુએ વિચારવા યાગ્ય છે.
આર્ય શ્રી સેાભાગ્યભાઈના દેહ સં. ૧૯૫૩ના જેઠ વદ ૧૦ને દિવસે છૂટ્યો હતે. તે વિષે જણાવતાં શ્રીમદ્ લખે છે :
“જીવને દેહના સંબંધ એ જ રીતે છે, તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દૃઢ માહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય ખીજ એ જ છે. શ્રી સેાભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચળ અસંગતાથી નિજ ઉપયાગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી....
આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સેાભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે....
શ્રી સેાભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણા વારંવાર વિચારવા ચેાગ્ય છે.’’
શ્રીમને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ હતી છતાં મુમુક્ષુ જીવાના સત્સંગની ભાવના વિશેષ રહ્યા કરતી. ધાર્મિક પ્રશ્નોની ચર્ચામાં શ્રી સેાભાગ્યભાઈ યથાશક્તિ ભાગ આપી શ્રીમદ્ પાસે બહુ સારા ખુલાસા કરાવતા. બીજા મુમુક્ષુઓને કંઈ શ્રીમને કહેવું હાય ત વયેવૃદ્ધ શ્રી સેાભાગ્યભાઈ દ્વારા વિનંતી કરાવતા; અને દયાળુ દિલના હેાવાથી તે સરળભાવે દરેકની વાત રજૂ
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International