________________
૧૫૦
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ થઈ, પતિવ્રતા જેટલી તેમની પરમભક્તિ થતાં ગેસની આ પ્રત્યેની માન્યતા દૂર થઈ એક સત્ય શરણ તે પામ્યા હતા.
છેલ્લી વખતે શ્રીમદ્ સાયલે પધાર્યા હતા ત્યારે તેમને વળાવવા જતાં નદી રસ્તામાં આવી. તે વખતે સૂર્યોદય વેળાએ શ્રી સોભાગ્યભાઈએ જણાવ્યું : “ઊગતા સૂર્યની સાખે, નદીની સાખે, પુરુષની સામે આ સભાગ્યને આપના સિવાય બીજું રટણ ન હો!”
એક પત્રમાં શ્રી ભાગ્યભાઈ સં. ૧૯૫૩ જેઠ સુદ ૧૪ને રવિવારે શ્રીમને લખી જણાવે છે?
“આ કાગળ છેલ્લે લખી જણાવું છું. હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપાદ્રષ્ટિ રાખશે...દેહ ને આત્મા જુદા છે. દેહ જડ છે. આત્મા ચૈતન્ય છે. તે ચૈતન્યને ભાગ પ્રત્યક્ષ જુદો સમજમાં આવતું નહોતું. પણ દિન આઠ થયાં આપની કૃપાથી અનુભવગેચરથી બેફટ જુદા દેખાય છે. અને રાતદિવસ આ ચૈતન્ય અને આ દેહ જુદા એમ આપની કૃપાદ્રષ્ટિથી સહજ થઈ ગયું છે, એ આપને સહજ જણાવવા લખ્યું છે.
ગેસળીઆ વિષે જે કંઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. તે હવે વખતેવખત બોધ આપવાના પત્રો આપ આપની ઈચ્છા પ્રમાણે લખી મને મેટી પાયરીએ ચઢાવશે.
વગર ભયે, વગર શાસ્ત્ર વચ્ચે થોડા વખતમાં આપના બોધથી અર્થ વગેરેને ઘણો ખુલાસો થઈ ગયો છે. જે ખુલાસે પચીસ વર્ષ થાય એ નહોતે તે થોડા વખતમાં આપની કૃપાથી થયે છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org