SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ભગતના ગામના ભક્તશિરોમણિ.... ૧૪૯ હા પાડી એટલે તે મેરખી ગયા ત્યારે શ્રીમને મળવા ગયા. તે વખતે શ્રીમદ્ દુકાને બેઠેલા હતા. ભાગ્યભાઈના આવતાં પહેલાં તેમણે પોતાના નિર્મળ જ્ઞાનથી જાણ્યું કે સૌભાગ્યભાઈ નામના માણસ બીજજ્ઞાનની વાત બતાવવા આવે છે. તેથી એક કાગળની કાપલી ઉપર તે જે કહેવા ધારતા હતા તે લખી રાખી, ગાદી પાસેના ગલ્લામાં કાપલી મૂકી. સભાગ્યભાઈ આવ્યા એટલે શ્રીમદ્દ બોલ્યા : “આવે, સેભાગ્યભાઈ.” ભાગ્યભાઈને નવાઈ લાગી કે મને એ ઓળખતા નથી, અને નામ દઈને ક્યાંથી લાવ્યા? પરંતુ તે કંઈ પૂછે તે પહેલાં શ્રીમદે કહ્યું : “આ ગલ્લામાં એક કાપેલી છે તે કાઢીને વાંચે.” સોભાગ્યભાઈએ કાપલી કાઢી વાંચી જઈ તે તેમના આશ્ચર્યને પાર રહ્યો નહીં. તેમને જે વાત કરવી હતી તે બધાંનું લખાણ જોઈ તેમને એમ થયું કે આ કઈ અલૌકિક જ્ઞાન પામેલા મહાપુરુષ છે. એમને મારે શું બતાવવાનું હોય? મારે ઊલટું તેમની પાસેથી વિશેષ જ્ઞાન મેળવવું. પરંતુ તેમના જ્ઞાનની વિશેષ પરીક્ષા કરવા તેમણે શ્રીમને પૂછ્યું : “સાયલામાં અમારા ઘરનું બારણું કઈ દિશામાં છે ?” શ્રીમદે અંતરજ્ઞાનથી જાણી યથાર્થ ઉત્તર દીધે એટલે સેભાગ્યભાઈએ કહ્યું કે આપનું જ્ઞાન સાચું છે. - આ પ્રથમ પ્રસંગથી ભાગ્યભાઈને શ્રીમદ્દ પ્રત્યે પૂજ્યબુદ્ધિ થઈ હતી. પણ ડુંગરશી ગોસળીઆ કરીને એક પેગના અભ્યાસીની તેમને સેબત હતી અને તેમના કેટલાક ચમત્કાર તથા વાતચીતથી તેમના ઉપર ચેટ થયેલી હતી. પરંતુ શ્રીમદ્ સાથે તેમને પત્રવ્યવહાર ઘણે રહ્યો અને પૂજ્યબુદ્ધિ વર્ધમાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy