________________
૧૪૪
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા તે સાંભળી તે ભાઈઓએ પૂછ્યું કે શું કહે છે? અમને સમજાયું નહીં. તેમના વૈરાગ્યની છાપ તે ભાઈઓ ઉપર પણ પડી તેથી તે તેમની પાસે તેમને કહેવાનું હોય તે સાંભળવા બેઠા. શ્રીમદ્ સંબંધી ગુણગ્રામ તેમણે કર્યા અને તેમના આવેલા પત્રો તેમને વંચાવ્યા. તે વાંચી તે સંસ્કારી ભાઈઓને પણ શ્રીમનાં દર્શન સમાગમની અભિલાષા થઈ. તેથી તે પત્રોની નલે તેમણે ઉતારી લીધી અને શ્રીમદ્રને ખંભાત પધારવા વિનંતી પત્રથી કરી. લગ્નનિમિત્તે અમદાવાદ આવેલા છતાં શ્રી જૂઠાભાઈના સમાગમે તેમને ધર્મની લગની લાગી ગઈ.
શ્રી જેઠાભાઈનું શરીર સં. ૧૯૪૫-૪૬ એ છેલ્લાં બે વર્ષમાં રોગગ્રસ્ત રહેતું. તે પ્રસંગે શ્રીમદે લખેલા અનેક પત્રો ધર્મધ્યાન પ્રેરનારા તેમને બહુ લાભદાયક નીવડ્યા હતા અને પરિણામે “મેક્ષમાર્ગને દે એવું સમ્યકત્વ” તેમના અંતરમાં પ્રકાણ્યું હતું.
શ્રી જૂઠાભાઈના અવસાન સંબંધી સં. ૧૯૪૬ના વૈશાખ સુદ ૩ ના રોજ શ્રીમદ્ લખે છેઃ “આ ઉપાધિમાં પડ્યા પછી જે મારું લિંગદેહજન્યજ્ઞાનદર્શન તેવું જ રહ્યું હોય,– યથાર્થ જ રહ્યું હોય તે જૂઠાભાઈ અષાડ સુદિ ૯ ગુરુની રાત્રે સમાધિશીત થઈ આ ક્ષણિક જીવનને ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે.”
અવસાન સંબંધી શ્રી જૂઠાભાઈને કહેવા ભાઈ છગનલાલ બેચરલાલને શ્રીમદે અગાઉથી લખેલું હતું. શ્રી જૂઠાભાઈની વૈરાગ્યદશા અને ઉદાસીનતા પ્રગટ છતાં તેમના કુટુંબીઓ તેમને સમ્યજ્ઞાન થયું છે એમ જાણી શકેલા નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org