SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદના ઓળખીતાઓમાંથી ૧૪૩ એક વખત શેઠ દલપતભાઈને પુસ્તક ભંડાર જેવા શ્રીમદ્ શ્રી જૂઠાભાઈ સાથે પધારેલા તે વિષે શ્રી જૂઠાભાઈએ શેઠ જેસંગભાઈને વાત કરેલ કે શ્રીમદ્ પુસ્તકનાં પાનાં માત્ર ફેરવી જતા અને તે પુસ્તકનું રહસ્ય સમજી જતા. વવાણિયા જઈ આવી ફરી સં. ૧૯૪૫માં કાર્તિક સુદ ૧૫ લગભગ શ્રીમદ્દ અમદાવાદ પધાર્યા હતા. તે વખતે ઘણું જિજ્ઞાસુઓ તેમની પાસે જ્ઞાનવાર્તા કરવા આવતા. તે વખતે સાધ્વી દિવાળીબાઈ ત્યાં હતાં, તેમની સાથે શ્રી જૂઠાભાઈ અને તેમના કાકા કર્મચંદભાઈ સમક્ષ જ્ઞાનઅર્થે પ્રશ્નોત્તર થતા. શ્રી જૂઠાભાઈના ગાઢ પરિચયમાં આવ્યા પછી શ્રીમદ્ અમદાવાદ આવતા ત્યારે તેમને ત્યાં જ ઊતરતા. શ્રી જૂઠાભાઈ શ્રીમદ્ સાથે મોરબીમાં દોઢ બે માસ રહેલા એક વખત શ્રીમદુની સાથે ભરૂચ પણ ગયેલા. પત્રવ્યવહાર પણ ધર્મનિમિત્તે તેમને પરસ્પર થતું. શ્રી જૂઠાભાઈની શરીરપ્રકૃતિ આ અરસામાં માંદગીને લીધે બહુ નરમ રહેતી; અને વૈરાગ્યવૃત્તિ પણ વર્ધમાન થતી જતી હતી. ખંભાતથી ભાઈ અંબાલાલ લાલચંદ અને એકબે ભાઈઓ કેઈ લગ્ન પ્રસંગે અમદાવાદ આવેલા, તે સરખી ઉમ્મરના હોવાથી શ્રી ઠાભાઈને ત્યાં જતા. વરઘેડે નીકળવાનો હતો ત્યારે ભાઈ અંબાલાલ વગેરે શ્રી જેઠાભાઈને બેલાવવા આવ્યા કે ચાલે, વરઘોડામાં જઈએ. તે સાંભળી યુવાન વય છતાં સ્વાભાવિક વૈરાગ્યવંત શ્રી જૂઠાભાઈને તે ગમ્યું નહીં અને શ્રીમદ્ વિષે કંઈ વાત તેમને કહેવાની ઊર્મિ થઈ આવી પણ પાછું મન ખેંચી લઈ એટલું બોલ્યા કે ક્યાં પ્રતિબંધ કરું? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy