SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ અમદાવાદના ઓળખીતાઓમાંથી યથાર્થ ઓળખનાર મુંબઈથી વવાણિયા જતાં શ્રીમદ્ સં. ૧૯૪૩માં શેઠ પાનાચંદ ઝવેરચંદવાળાને ત્યાં અમદાવાદ ઊતર્યા હતા. તે શેઠના એક માણસને સાથે લઈ મલીચંદ જેચંદની પિઢીએ તેઓ ગયા હતા. તે માણસે શ્રીમની ઓળખાણ શેઠ જેસંગભાઈ ઊજમશીભાઈ તથા તેમના વડીલ લહેરાભાઈ તથા રંગજીભાઈ વગેરેને આપી કે આ મહેમાન આપણા સ્વધર્મી છે અને વિદ્વાન કવિ છે. તે વખતે વળાના કારભારી લીલાધરભાઈ વકીલ ત્યાં બેઠા હતા. તેમણે શ્રીમદુની પાસે એક કાવ્ય રચવાની માગણી કરી; એટલે શ્રીમદે મનમાં એક કાવ્ય રચી સામા માણસને ખાનાં પાડેલે કાગળ આપી તેમાં આડાઅવળી ખાનામાં અક્ષરો લખાવ્યા અને બધા ખાનાં પુરાઈ જતાં અનુક્રમે વાંચતાં એક સુંદર કાવ્ય થયું. તે વાંચી સર્વને આનંદ થયે હતે. મોક્ષમાળા' છપાવવા માટે શ્રીમદ્ સં. ૧૯૪૪માં ફરી અમદાવાદ આવ્યા ત્યારે પણ પ્રથમ શેઠ પાનાચંદ ઝવેરચંદને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy