________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા દ્વેષ વા તમારા સંબંધી કઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં. તમને કોઈ જાતની શંકા થાય તે મને જણાવશે, તે તમારે ઉપકાર માનીશ, અને તેને ખરે ખુલાસે કરીશ. ખુલાસે નહીં થાય તે મૌન રહીશ, પરંતુ અસત્ય બેલીશ નહીં. માત્ર તમારી પાસેથી એટલું જ ઈચ્છું છું કે, કેઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભ યેગમાં પ્રવૃત્તિ કરશે નહીં, તમારી ઈચ્છાનુસાર તમે વર્તજે, તેમાં મારે કંઈ પણ અધિક કહેવાની જરૂર નથી. માત્ર મને મારી નિવૃત્તિ શ્રેણીમાં વર્તવા દેતાં કઈ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશે નહીં, અને ટૂંકું કરવા જે તમારી ઈચ્છા હોય તે ખચીત કરીને મને આગળથી જણાવી દેજે. તે શ્રેણીને સાચવવા મારી ઈચ્છા છે અને તે માટે એથી હું કરી લઈશ. મારું ચાલતાં સુધી તમને દુભાવીશ નહીં અને છેવટે એ જ નિવૃત્તિ શ્રેણી તમને અપ્રિય હશે તે પણ હું જેમ બનશે તેમ જાળવણીથી, તમારી સમીપથી, તમને કઈ જાતની હાનિ કર્યા વગર બનતે લાભ કરીને, હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઈચ્છા રાખીને ખસી જઈશ.”
શ્રીયુત માણેકલાલ ઘેલાભાઈ શ્રીમદ્ વિષે લખે છે કે અમારી ભાગીદારીનાં કેટલાંક વર્ષ તે સાહસિક વ્યાપારના ખેડાણમાં ગયેલાં; અને તે સમયે તેની વ્યાપાર અને વ્યવહારકુશળતા એવી ઉત્તમ હતી કે અમે વિલાયતના કેટલાક વ્યાપારીઓ સાથે કામ પાડતા હતા; તેઓ અમારી કામ લેવાની પદ્ધતિથી દેશીઓની કાબેલિયત માટે પ્રશંસા કરતા હતા. અમારા આ વ્યાપારની કૂંચીરૂપ ખરું કહીએ તે શ્રીમાન રાજચંદ્ર હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org