________________
મુંબઈ નિવાસકાળના કેટલાક પ્રસંગે
૧૩૯ રજનીશી (સં. ૧૯૪૬ની)માં છે, તે સર્વ સમાજને આદર્શ રૂપ છે, તેમ જ નિવૃત્તિપરાયણ જીવનને લક્ષ સાચવી રાખીને કેવી રીતે વ્યાપારમાં ઝંપલાવેલું અને આદર્શને અખંડિત રાખેલે તે દર્શાવે છે –
૧ કોઈના પણ દોષ જે નહીં. તારા પિતાના દેષથી જે કંઈ થાય છે, તે થાય છે, એમ માન.
૨ તારી (આત્મ) પ્રશંસા કરીશ નહીં અને કરીશ તે તું જ હલકે છે એમ હું માનું છું.
૩ જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનું પ્રયત્ન કરજે. એકદમ તેમાં તને સિદ્ધિ નહીં મળે, વા વિદ્મ નડશે, તથાપિ દ્રઢ આગ્રહથી હળવે હળવે તે કમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે.
૪ તું વ્યવહારમાં જેનાથી જોડાય છે તેનાથી અમુક પ્રકારે વર્તવાને નિર્ણય કરી તેને જણાવ. તેને અનુકૂળ આવે તે તેમ; નહીં તે તે જણાવે તેમ પ્રવર્તજે. સાથે જણાવજે કે તમારા કાર્યમાં (જે મને સોંપે તેમાં કઈ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહીં પહોંચાડું. તમે મારા સંબંધમાં બીજી કંઈ કલ્પના કરશે નહીં, મને વ્યવહાર સંબંધી અન્યથા લાગણું નથી, તેમ હું તમારાથી વર્તવા ઈચ્છતે નથી, એટલું જ નહીં, પણ કંઈ મારું વિપરીતાચરણ મન વચન કાયાએ થયું, તે તે માટે પશ્ચાત્તાપી થઈશ. એમ નહીં કરવા આગળથી બહુ સાવચેતી રાખીશ. તમે સેપેલું કામ કરતાં હું નિરભિમાની રહીશ. મારી ભૂલને માટે મને ઠપકો આપશે તે સહન કરીશ. મારું ચાલશે ત્યાં સુધી સ્વને પણ તમારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org