________________
૧૩૫
મુંબઈ નિવાસકાળના કેટલાક પ્રસંગે
સાહેબ, હું કિંમતી ચીજોને જોખમની ઉપમા આપું છું. તેમાંથી ચોરાઈ જાય તે જોખમ લાગે.”
શ્રીમદે કહ્યું: “જોખમ તે જ્ઞાની પણ માને, પણ તે એવી રીતે કે જ્યાં સુધી એ છે ત્યાં સુધી જોખમ છે. માણસોને રેગ (જખમ) થાય ત્યારે પરૂ, પાચ વગેરે થાય, તેમ એ ચીજો પૃથ્વીને રેગ છે. તેમાં જ્ઞાનીઓ કદી મેહ રાખે નહીં.” એમ કહી તરત જ તે પેટી અને દીવાનખાનું સાવ ખુલ્લાં મૂકી, પિતે ગિરગામ ચાલ્યા ગયા, અને બધા ભાઈઓ પિતાપિતાને સ્થાનકે ગયા.
પદમશીભાઈને પછી ઘણા વિચારે થયા કે કેમ થયું હશે? તેથી બીજે દિવસે દિવસના અગિયાર વાગ્યે રેવાશંકર જગજીવનની કંપનીની દુકાને તે ગયા અને પૂછ્યું: “સાહેબજી, કેમ કેઈ ચીજ ચોરાઈ તે નથી ને?” શ્રીમદે ઉત્તર દીધેઃ ભાઈ વનમાળીએ આપણા ગયા પછી પેટી બંધ કરી હતી.”
પદમશીભાઈએ શ્રીમને પૂછ્યું : “શ્રીકૃષ્ણ મહારાજના સંબંધમાં જૈનધર્મના ગ્રંથમાં લખ્યું છે કે તેઓ નરકે ગયા છે અને વૈષ્ણવ ગ્રંથમાં શ્રીકૃષ્ણ મેક્ષે ગયા છે એમ કીધું છે. આ બન્ને વાતે કેમ મળતી નથી આવતી ?”
શ્રીમદે ઉત્તરમાં જણાવ્યું: “જે પ્રમાણે જૈનશાસ્ત્રમાં નરકે ગયાનું કહ્યું છે, તેમ કઈ જીવ વર્તે તે તે નરકે જાય અને જે પ્રમાણે વૈષ્ણવ શાસ્ત્રોમાં કહ્યું છે તેમ વર્તે તેને મક્ષ થાય માટે બન્ને શાસ્ત્રોમાં દૃષ્ટાંતરૂપે લખેલું છે. અને તે બન્ને બરોબર છે.”
x
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org