________________
૧૩૪
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ટોકરશીભાઈના મોઢા તરફ ચડતે કર્યો ને તરત જ કવિરાજ દૂર બેઠા અને અમને જણાવ્યું કે “ટોકરશી મહેતાને દેહ છૂટી ગયેલ છે. પણ તમે લગભગ પિણ કલાક સુધી તેમની પાસે ના જશો. આ વખતે રાત્રિના પિણે આઠ વાગ્યાને સુમાર હતે. કવિરાજ સ્મશાને પધાર્યા હતા.”
આ વાત સાંભળીને તત્કાળ સાહેબજી (શ્રીમદ્જી)ની પાસે રેવાશંકર જગજીવનની દુકાને પદમશીભાઈ ગયા અને ત્યાં સાહેબજીનાં દર્શન કર્યા અને કીધું કે “ટોકરશી મહેતાના સંબંધમાં આપે કાંઈ અજાયબી–આશ્ચર્ય ઉપજાવે તેવું કર્યું છે, તે સમજાવશે? તે સમજવાની ઘણી આકાંક્ષા રહે છે.” તેઓ બોલ્યા : “હા, એમ બની શકે છે. પ્રાણવાયુ સમાનવાયુના સંબંધથી રહેલ છે. દરેક વખતે શ્વાસને સમાનવાયુ ખેંચે છે, તેને શ્વાસ કહે છે. એ વાયુને સંબંધ છૂટો પચેથી પ્રાણ ચાલ્યા ગયે એમ કહેવાય છે. તે વખતે જીવને જેવી લેડ્યા હોય તેવી ગતિ થાય છે. અને શક્તિબળે જીવની લેશ્યા ફેરવી શકાય છે.”
એક વખત રાત્રે અગિયાર વાગ્યે શ્રીમદ્ ધર્મવાર્તા પૂરી થતાં જવા માટે ઊઠ્યા સાથે બીજા ભાઈઓ પણ ઊઠ્યા. એટલામાં પૂનાવાળા નાનચંદભાઈએ શ્રીમદુને કહ્યું : “સાહેબજી, આ પેટી ઉઘાડી છે, અને તેમાં જોખમ છે.” એ પેટીમાં હીરા, માણેક, મોતી વગેરે વેપારને માલ જથાબંધ રહેતે હતે.
શ્રીમદે કહ્યું : “ત્યારે બેસો.” સર્વે બેઠા પછી નાનચંદભાઈને પૂછ્યું : “જોખમ શી રીતે ?” નાનચંદભાઈએ કહ્યું :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org