________________
૧૩૨
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા તમને પૃથ્વી સપાટ કે ગેળ જેવી હશે તેવી કાંઈ હરકત કરશે નહીં.”
છે. રવજીભાઈ દેવરાજજીએ શ્રીમદુને પ્રશ્ન કર્યો : સ્વર્ગ, નરકની ખાતરી શી?”
શ્રીમદે ઉત્તરમાં જણાવ્યું: “નરક હોય અને તમે ન માનતા હો, તે નરકે જવાય તેવાં કામ કરવાથી કેટલું સાહસ ખેડ્યું કહેવાય?”
શા દેવચંદ પીતાંબરદાસ મહેતા પિતાના ભાઈ ટોકરશી મહેતા ગુજરી ગયા હતા તેમના લૌકિકે આવેલા કચ્છના પદમશીભાઈને છેવટની પિતાના ભાઈની માંદગી સંબંધી કહે છેઃ “ભાઈ ટોકરશી ગાંઠ અને સન્નિપાતના દરદને લઈને દુકાનના ગ્રાહકો સંબંધી અને બીજા સાંસારિક બકવાદ કરતા અને હરઘડીએ ઊઠીને નાસી જતા હતા તેથી અમે ચાર જણ ઝાલી રાખતા હતા. | ગઈ કાલે બપોરના બે વાગ્યાને સુમારે કવિરાજ (શ્રીમદ્જી) પધાર્યા અને કીધું કે ટોકરશી મહેતાને કેમ છે? અમે કીધું કે સખત મંદવાડ છે. કવિરાજે કીધું કે તમે બધા દૂર ખસી જાઓ. અમે કીધું કે ટોકરશીભાઈ હરઘડીએ ઊઠીને નાસભાગ કરે છે, તેમ કરશે. કવિરાજે કીધું કે નહીં ભાગે. તેથી અમે બધા ત્યાંથી દૂર ખસી ગયા અને કવિરાજ તેમની પાસે બેઠા અને પાંચેક મિનિટમાં ભાઈ ટોકરશી સાવચેત થઈ ગયા. અને કવિરાજને વિનયપૂર્વક કીધું કે આપ ક્યારે પધાર્યા? પિતે પ્રશ્ન કર્યો તમને કેમ છે? એટલે ટોકરશીભાઈ બોલ્યા- ઠીક છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org