________________
શ્રીમદુ રાજચંદ્ર જીવનકળા
શ્રીમદે કહ્યું: “અમે તે આખી મુંબઈને સ્મશાન સમાન જોઈએ છીએ.”
શ્રીમના એક પાડેશીએ તેમનામાં અતિશયે તથા સ્વાધ્યાયને રંગ દેખીને પૂછ્યું કે તમે આ દિવસ ધર્મની ધૂનમાં રહે છે તે બધી ચીજોના શું ભાવ થશે તે જાણતા હેવા જોઈએ. શ્રીમદે કહ્યું : “અમારે દી ઊઠ્યો નથી કે સ્વાધ્યાય ભાવ જાણવા કરીએ.”
પદમશીભાઈ નામના એક કચ્છના વતનીએ શ્રીમદુને મુંબઈમાં પૂછેલું : સાહેબજી, મને ભયસંજ્ઞા વધારે રહે છે, તેને શું ઉપાય ?”
શ્રીમદે પૂછ્યું : “મુખ્ય ભય શાને વર્તે છે?” પદમશીભાઈ : “મરણને.”
શ્રીમદે કહ્યું : “તે તે આયુષ્યબંધ પ્રમાણે થાય છે. જ્યારે આયુષ્ય પૂર્ણ થતાં સુધી મરણ તે નથી, ત્યારે તેથી નાના પ્રકારના ભય રાખ્યાથી શું થવાનું હતું ? એવું દ્રઢ મન રાખવું.”
મોરબીને વતની લલ્લુ નામને કર ઘણું વર્ષ તેમને ત્યાં રહેલે. મુંબઈમાં તેને ગાંઠ નીકળી હતી. શ્રીમદ્ તેની જાતે સારવાર કરતા. પિતાના ખેળામાં તેનું માથું મૂકી અંત વખત સુધી તેની સંભાળ લીધી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org