SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઈ નિવાસકાળના કેટલાક પ્રસંગે ૧૨૯ ચહેરો હસમુખ ને પ્રફુલ્લિત હતું. તેની ઉપર અંતરાનંદની છાયા હતી. ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પિતાના વિચારે બતાવતાં કઈ દિવસ શબ્દ ગત પડ્યો છે, એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં તેમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહીં લાગે કે ક્યાંયે વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના તૂટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખેડ છે. આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતે. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ન મળી શકે છે એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગોને કાઢવાને પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી, એમ મારી ઉપર છાપ પડી હતી. મેક્ષનું પ્રથમ પગથિયું વીતરાગતા છે. જ્યાં સુધી જગતની એક પણ વસ્તુમાં મન ખૂચેલું છે, ત્યાં સુધી મેક્ષની વાત કેમ ગમે ? અથવા ગમે તે કેવળ કાનને જ—એટલે જેમ આપણને અર્થ જાણ્યા, સમજ્યા વિના કોઈ સંગીતને સૂર જ ગમી જાય તેમ. એવી માત્ર કર્ણપ્રિય ગમ્મતમાંથી મેક્ષને અનુસરનારું વર્તન આવતાં તે ઘણે કાળ વહી જાય. આંતરવૈરાગ્ય વિના મેક્ષની લગની ન થાય. એવી વૈરાગ્ય લગની કવિની હતી.” એક વખત શ્રીમદ્ ફરવા ગયા હતા. સ્મશાનની જગા આવી ત્યારે તેમણે તેમની સાથે હતા તે ભાઈને પૂછ્યું : આ શું છે?” તે ભાઈએ જવાબ આપે : “સ્મશાન.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy