________________
૧૨૮
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા
જે વૈરાગ્ય એ કડીઓમાં ઝળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલ. તેમનાં લખાણેની એક અસાધારણતા એ છે કે પિતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી લખી હોય એમ મેં નથી જોયું. તેમની પાસે હંમેશાં કંઈક ધર્મપુસ્તક અને એક કેરી
પડી પડેલાં હેય. એ ચેપડીમાં પિતાના મનમાં જે વિચારે આવે તે લખી નાખે, કોઈ વેળા ગદ્ય તે કઈ વેળા પઘ....
ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તે હેય જ. કઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મોહ થયું હોય એમ મેં નથી જોયું.
તેમની રહેણીકરણી હું આદરપૂર્વક પણ ઝીણવટથી તપાસતે. ભોજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાદ, પહેરણ, અંગરખું, ખસ, ગરભસૂતરે ફેંટો ને છેતી.
એ કંઈ બહુ સાફ કે ઈસ્ત્રીબંધ રહેતાં એમ મને સ્મરણ નથી. . યે બેસવું, ખુરશીમાં બેસવું બંને સરખાં હતાં. સામાન્ય રીતે પિતાની દુકાનમાં ગાદીએ બેસતા.
તેમની ચાલ ધીમી હતી, અને જેનાર સમજી શકે કે ચાલતાં પણ પિતે વિચારમાં પ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતે, અત્યંત તેજસ્વી, વિહવળતા જરાયે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી. ચહેરે ગેળાકાર, હોઠ પાતળા, નાક અણીદાર નહીં, ચપટું પણ નહીં, શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંત મૂર્તિને હતે. તેમના કંઠમાં એટલું બધું માધુર્ય હતું કે તેમને સાંભળતાં માણસ થાકે નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org