________________
મુંબઈ નિવાસકાળના કેટલાક પ્રસંગે
૧૨૭ વધારે કેઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તે તે કવિશ્રીના જીવનમાંથી છે. દયાધર્મ પણ હું તેમના જીવનમાંથી શીખે છું. ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરે એ દયાધર્મ મને કવિશ્રીએ શીખવ્યો છે, એ ધર્મનું તેમની પાસેથી મેં દંડ ભરીને પાન કર્યું છે. તેઓ ઘણી વાર કહેતા કે ચેપાસથી કેઈ બરછીઓ ભેંકે તે સહી શકું પણ જગતમાં જે જૂઠ, પાખંડ, અત્યાચાર ચાલી રહ્યાં છે, ધર્મને નામે જે અધર્મ વતી રહ્યો છે તેની બરછી સહન થઈ શકતી નથી. અત્યાચારોથી ઊકળી રહેલા તેમને ઊકળી જતાં મેં ઘણી વાર જોયા છે. તેમને આખું જગત પિતાના સગા જેવું હતું. આપણાં ભાઈ કે બહેનને મરતાં જોઈને જે ફ્લેશ આપણને થાય છે તેટલે ફ્લેશ તેમને જગતમાં દુઃખને, મરણને જોઈને થતું.
કવિશ્રી કહેતા કે “જૈનધર્મ જે શ્રાવકોના હાથમાં ન ગ હોત તે એનાં તો જોઈને જગત ચકિત થાત. વાણિયાઓ તે જૈન ધર્મતને વગવી રહ્યા છે.” - પિતાના બે વર્ષના (મુંબઈના) ગાઢ પરિચયમાં ગાંધીજીએ શ્રીમને જે વૈરાગ્ય અને વીતરાગતાયુક્ત જોયેલા તેનું શબ્દચિત્ર એક કુશળ ચિત્રકારને છાજે તેવું આપે છે – ૧. “અપૂર્વ અવસર એ ક્યારે આવશે?
ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ચથ છે? સર્વ સંબંધનું બંધન તીર્ણ છેદીને, વિચરશું કવ મહત પુરુષને પંથ છે? અપૂર્વ સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય છે; અન્ય કારણે અન્ય કશું કહેશે નહીં, દેહે પણ કિંચિત મૂછ નવ જાય છે. અપૂર્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org