________________
૧૨૫
મુંબઈ નિવાસકાળના કેટલાક પ્રસંગે બંધ કરતે હતે. નાના ભાઈને એક દિવસ વિચાર આવ્યો કે આજે આપણે મેટા ભાઈની પેઠે મેતીને મોટો વેપાર કરો. તેથી જે માલ બહાર દેશથી આવેલે તે લઈને એક દલાલને કહ્યું કે કોઈ સારા પ્રામાણિક શેઠ બતાવ. તેણે શ્રીમ
ભેટો કરાવ્યો. તેમણે કસીને માલ ખરીદ્યો. નાણું લઈને આરબ પિતાને ઘેર ગયે. એવામાં તેના મોટા ભાઈ મળ્યા તેમને તેણે વાત કરી. તેમણે જેને માલ હતું તેને કાગળ બતાવી કહ્યું કે આટલી કિંમત વગર માલ વેચવો નહીં એમ શરત કરી છે, અને આ તેં શું કર્યું? તેથી તે ગભરાયે અને શ્રીમદ્ પાસે જઈને કરગરી પડ્યો અને કહ્યું કે આવી આફતમાં હું આવી પડ્યો છું. શ્રીમદે તેને કહ્યું કે આ તમારો માલ, એમ ને એમ પડ્યો છે. એમ કહી માલ પાછો સેંપી દીધા અને નાણાં ગણી લીધાં. જાણે કંઈ સદે કર્યો જ નથી એમ ગણી, ઘણે ન થવાનું હતું પણ તે જ કર્યો. એ આરબ તેમને ખુદ ખુદા સમાન માનતે.
ગાંધીજી “રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણો” તરીકે “આત્મકથામાં લખે છે: “તેમની સાથે એક સંવાદ મને યાદ છે. એક વેળા હું મિસિસ ગ્લૅડસ્ટનની ગ્લેડસ્ટન પ્રત્યેના પ્રેમની સ્તુતિ કરતે હતે. આમની સભામાં પણ મિસિસ ગ્લૅડસ્ટન પિતાના પતિને ચા બનાવીને પાતાં; આ વસ્તુનું પાલન આ નિયમબદ્ધ દંપતીના જીવનને એક નિયમ થઈ પડ્યો હતે. એ મેં કયાંક વાંચેલું, તે મેં કવિને વાંચી સંભળાવ્યું કે તેને અંગે મેં દંપતીપ્રેમની સ્તુતિ કરી. રાયચંદભાઈ બોલ્યા, “એમાં તમને મહત્વનું શું લાગે છે? મિસિસ ગ્લૅડસ્ટનનું પત્નીપણું કે તેને સેવાભાવ? જે તે બાઈ લેડસ્ટનનાં બહેન હોત તે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org