________________
૧૧
મુંબઈ નિવાસકાળના કેટલાક પ્રસંગો
શ્રીમદ્ શતાવધાની તરીકે શરૂઆતમાં પ્રખ્યાત થયા, અને મુંબઈમાં અનેક મોટા ગણાતા માણસે તેમના પ્રસંગમાં આવેલા. ઉદાર સખાવત કરનાર તાતા નામના પારસી ગૃહસ્થ તેમને પિતાને પ્રખ્યાત બંગલે બધે ફેરવીને બતાવ્યો; વિલાયતથી મંગાવેલ ફર્નિચર આદિ સુખ-સામગ્રી વિગતવાર વર્ણવી જણાવી. બીજાની પાસેથી પિતાની મિલકત કે વૈભવનાં વખાણની આશા આવા પ્રસંગે જીવ રાખે એ સ્વાભાવિક છે અને સામાન્ય મનુષ્ય તેની ઈચ્છાને પિષે છે. પણ મહાપુરુષે તે ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં વૈરાગ્યના વેગમાં ઝંપલાય છે. તેથી જ તેમનાં વચને પણ સામા જીવને જીવનપલટો પણ કરાવી દે છે. બધે બંગલે જોયા પછી “આને કણ ભેગવશે?” એટલા જ શબ્દો પિતે બોલ્યા. ત્યાં ઊભેલા ઘણાએ તે બોલે સાંભળ્યા હશે, પણ તાતાના હૃદયમાં તે ઘર કરી ગયા. તેમને કોઈ સંતાન ન હતું. પણ પિતાની કેમનાં બધાં માણસો પિતાનાં સંતાન છે; એમ માની મરતાં પહેલાં તેમણે પિતાની મિલક્તનું ટ્રસ્ટ કર્યું અને પરોપકાર અર્થે સર્વ સંપત્તિ ટ્રસ્ટીએને સેંપી ગયા.
ઝવેરાત સાથે મોતીને વેપાર પણ શ્રીમદે શરૂ કર્યો હતું અને તેમાં સર્વ વેપારીઓમાં વિશેષ વિશ્વાસપાત્ર ગણાતા. એક આરબ પિતાના ભાઈ સાથે મુંબઈમાં મેતીની આડતનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org