________________
ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ
૧૨૩ તેમને પુસ્તકને પૂર્ણ રીતે ગ્રહણ કરવાને ફક્ત એક જ વખત વાંચવાની જરૂર રહેતી. અને સંસ્કૃત તથા પ્રાકૃતના નિયમિત અભ્યાસ વગર તેઓ તે ભાષામાંનાં પુસ્તક મેટા પંડિતની પિઠે તેવી રીતે (એક વાર વાંચવાથી તેઓ યથાર્થ રીતે સમજી શકતા અને બીજાને સમજાવી શકતા.
તેઓએ જોયું કે ધર્મગુરુઓ વર્તમાનમાં સાંપ્રદાયિક દ્રષ્ટિથી સંકુચિત, ટૂંક મર્યાદાવાળા વિચારો ધરાવે છે અને કાળના પરિવર્તન અનુસાર કેવી રીતે વર્તન કરવું જોઈએ તે સમજતા નથી.
વિશેષ જેઓ આ સંસારને ત્યાગ કરી ત્યાગવૃત્તિ સ્વીકારે છે તેમાં કેટલાક સાંસારિક સંપત્તિઓના અભાવ તથા સંસારથી એક યા બીજા કારણથી થયેલા અસંતોષને પરિણામે તેમ કરે છે. આવા પુરુષે પિતાને ચારિત્રની અસર તેઓના સમુદાય ઉપર પાડી શકતા નથી. શ્રીમન્ની એવી માન્યતા હતી કે ધનવાન અને સાંસારિક સારી સ્થિતિવાળ પુરુષ સંસારને ત્યાગ કરે તે પિતાના ચારિત્રથી સંગીન હિત કરી શકે. જનસમાજ તેના શુદ્ધ હૃદય અને નિઃસ્વાર્થના સદ્દગુણની ખાતરી થવાથી તેને કહેવા પ્રમાણે દોરાવામાં ઘણે જ તત્પર રહે, અને તેના ઉપદેશથી લાભ મેળવતે થાય. આવા વિચાર શ્રીમદૂના હતા. અને તેની સાથે જનસમાજ આગળ એક સાધુ (ધાર્મિક નાયક) તરીકે રજૂ થવા ગ્ય સ્થિતિમાં એ મુકાયા નથી એમ તેઓ માનતા હતા; અને તેથી જ ગૃહસ્થદશાએ જ જીવન ગાળવાનું ચાલુ રાખ્યું હતું. તે પણ તેમના આંતરિક વિચારે સંસાર પ્રત્યે તદ્દન ઉદાસીન વહેતા હતા.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org