SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા થોડે અંશે પણ ઉપાધિ આપી શકે. પિતાના દેહ પર મત સિવાય પણ નાના પ્રકારના રોગને સંભવ છે. માટે કેવળ નિગ્રંથ, બાહ્યાભ્યતર પરિગ્રહને ત્યાગ, અલ્પારંભને ત્યાગ એ સઘળું નથી થયું ત્યાં સુધી હું મને કેવળ સુખી માનતા નથી. હવે આપને તત્ત્વની દ્રષ્ટિએ વિચારતાં માલુમ પડશે કે લક્ષ્મી, સ્ત્રી, પુત્ર કે કુટુંબ એ વડે સુખ નથી; અને એને સુખ ગણું તે જ્યારે મારી સ્થિતિ પતિત થઈ હતી ત્યારે એ સુખ ક્યાં ગયું હતું? જેને વિયેગ છે, જે ક્ષણભંગુર છે, અને જ્યાં એકત્વ કે અવ્યાબાધપણું નથી તે સુખ સંપૂર્ણ નથી.” આ વિચાર શ્રીમદનું આદર્શ જીવન સમજવામાં ચાવી જેવા છે. મુખ્યત્વે એ જ લક્ષ રાખી નિગ્રંથ દશા પ્રાપ્ત કરવી અને તેવા વિચારવાળાને સહાયક થવું એવી ભાવનાથી તેમનું પ્રવર્તન ગૃહસ્થ અવસ્થામાં થયેલું તેમના પત્રરૂપ લેખે ઉપરથી પણ સ્પષ્ટ જણાય છે. | ‘પાયોનિયર પત્રમાં તેમના અવસાન સમયે આવેલા લેખ ઉપરથી પણ તેમના ગૃહસ્થજીવન વિષે ખ્યાલ આવે તેમ હોવાથી તેમાંથી ડું ટાંકી જણાવું છું – વીશ વર્ષની વયે પ્રજાની દ્રષ્ટિમાં પૂર્ણ રીતે તેઓ અદ્રશ્ય થયા. પિતાની શક્તિ અને બુદ્ધિબળને ઉપયોગ પિતાના સમુદાયવર્ગમાં અને વિસ્તારથી સમગ્ર લેકને શિક્ષા અને જ્ઞાનબોધ આપવામાં કરવા માટે તેમણે નિશ્ચય કર્યો. તેઓ ઘણું નાની ઉંમરથી અતિશય પરિમાણમાં વાંચનાર હતા. તેમણે ષટુ દર્શનની આચના કરી; અને તેની સાથે પૂર્વ તેમ જ પશ્ચિમની ફિલસૂફી(તત્વવિચાર)નાં દર્શન જોયાં. જો કે આશ્ચર્યકારક લાગશે, પરંતુ આ તે વાસ્તવિક સત્ય છે કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy