SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થઈને ધર્મ સંબંધે ગૃહસ્થવર્ગને હું ઘણે ભાગે બેધી યમનિયમમાં આણું છું. દર સપ્તાહે આપણે ત્યાં પાંચર્સે જેટલા સદ્ગૃહસ્થાની સભા ભરાય છે. આઠ દિવસના નવા અનુભવ અને બાકીના આગળના ધર્માનુભવ એમને બેત્રણ મુહૂર્ત બેખું છું. મારી સ્ત્રી ધર્મશાસ્ત્રના કેટલેાક એધ પામેલી હાવાથી તે પણ સ્ત્રીવર્ગને ઉત્તમ યમનિયમના ખાધ કરી સામાહિક સભા ભરે છે. પુત્રો પણ શાસ્ત્રના બનતા પરિચય રાખે છે. વિદ્વાનોનું સન્માન, અતિથિનું સન્માન, વિનય અને સામાન્ય સત્યતા, એક જ ભાવ એવા નિયમે બહુધા મારા અનુચરો પણ સેવે છે. એએ બધા એથી શાતા ભાગવી શકે છે. લક્ષ્મીની સાથે મારી નીતિ, ધર્મ, સદ્ગુણ, વિનય એણે જનસમુદાયને મહુ સારી અસર કરી છે. રાજા સહિત પણ મારી નીતિવાત અંગીકાર કરે તેવું થયું છે. આ સઘળું આત્મપ્રશંસા માટે હું કહેતે નથી એ આપે સ્મૃતિમાં રાખવું; માત્ર આપના પૂછેલા ખુલાસા દાખલ આ સઘળું સંક્ષેપમાં કહેતા જઉં છું.'’ ૧૨૧ “આ સઘળાં ઉપરથી હું સુખી છું એમ આપને લાગી શકશે અને સામાન્ય વિચારે મને બહુ સુખી માના તા માની શકાય તેમ છે. ધર્મ, શીલ અને નીતિથી તેમ જ શાસ્ત્રાવધાનથી મને જે આનંદ ઊપજે છે તે અવર્ણનીય છે. પણ તત્ત્વદૃષ્ટિથી હું સુખી ન મનાઉં. જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અત્યંતર પરિગ્રહ મેં ત્યાગ્યા નથી ત્યાં સુધી રાગદોષને ભાવ છે. જોકે તે બહુ અંશે નથી, પણ છે; તે ત્યાં ઉપાધિ પણ છે. સર્વસંગ પરિત્યાગ કરવાની મારી સંપૂર્ણ આકાંક્ષા છે; પણ જ્યાં સુધી તેમ થયું નથી ત્યાં સુધી હજુ કોઈ ગણાતાં પ્રિયજનના વિયાગ, વ્યવહારમાં હાનિ, કુટુંબીનું દુઃખ એ For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy