SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ તે ન્યાયની પ્રતિકૂળ જવું પડશે, માટે મારું કહેવું શાસ્ત્ર અને આત્મ-મધ્યસ્થતાથી તપાસશે. યોગ્ય લાગે નહીં, એવા કોઈ મારા વિચાર હોય તે સહર્ષ પૂછશે, પણ તે પહેલાં તે વિષે તમારી સમજણથી શંકારૂપ નિર્ણય કરી બેસશે નહીં. ટૂંકામાં કહેવાનું એ કે, જેમ કલ્યાણ થાય તેમ પ્રવર્તવા સંબંધમાં મારું કહેવું અગ્ય લાગતું હોય તે, તે માટે યથાર્થ વિચાર કરી પછી જેમ હોય તેમ માન્ય કરવું.” આ ગ્રંથ સંપૂર્ણ અવસ્થામાં મળે છે તે આજના શિક્ષિત મધ્યસ્થવર્ગને બહુ ઉપયોગી થઈ પડત. શ્રીમને જે પ્રમાણસિદ્ધ અને હિતકારી લાગ્યું તે ગ્રહણ કરવામાં તેમની તત્પરતા કેવી છે તે આ અપૂર્ણ લેખથી પણ સ્પષ્ટ સમજાઈ જાય છે. જગતકર્તા ઈશ્વરમાં પ્રથમ શ્રીમદુને શ્રદ્ધા હતી તે વિશેષ વિચારે પલટાઈ ત્યારે કેવી મક્કમતા પ્રમાણપૂર્વક પલટાયેલા વિચારો દર્શાવવામાં દેખાઈ આવે છે તે મોક્ષમાળાના વિવેચનમાં આપણે જોઈ ગયા છીએ. શ્રી યશોવિજયજી “આઠ દૃષ્ટિની સઝાય'માં તારા દૃષ્ટિનું વર્ણન કરે છે તે આ પ્રસંગે વિચારવું ઉચિત છે: “જિજ્ઞાસા ગુણ તત્વની, મનમેહન મેરે; પણ નહીં નિજ હઠ ટેક રે, મન મેહન મેરે; એહ દષ્ટિ હેય વર્તતાં, મનમેહન મેરે; ગકથા બહુ પ્રેમ રે, મનમેહન મેરે અનુચિત તેહ ન આચરે, મન મેહન મેરે; વાળે વળે જેમ હેમ રે, મનમોહન મેરે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy