________________
૧૧૩
શ્રીમદ્ રાજચદ્ર જીવનકળા
સ્ફુરણાથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળા પુરુષ તમે વિરલ જ દેખશે; અને દેખશે તે તે મતથી કંટાળી વીતરાગદેવની આજ્ઞામાં રાચવા વધારે તત્પર હશે.....
તેમ જ ત્યાગી ગુરુએ સિવાયના પરાણે થઈ પડેલા મહાવીરદેવના માર્ગરક્ષક તરીકે ગણાવતા યતિઓ, તેમની તે માર્ગ પ્રવર્તાવવાની શૈલી માટે કંઈ બેલવું રહેતું નથી. કારણ ગૃહસ્થને અણુવ્રત પણ હાય છે; પણ આ તેા તીર્થંકરદેવની પેઠે કપાતીત પુરુષ થઈ બેઠા છે.
સંશોધક પુરુષા બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. તેમને સાહિત્યા જેવાં કે સદ્દગુરુ, સત્સંગ કે સત્શાસ્રો મળવા દુર્લભ થઈ પડ્યાં છે. જ્યાં પૂછવા જાએ ત્યાં સર્વ પોતપાતાની ગાય છે. પછી તે સાચી કે જૂડી તેના કોઇ ભાવ પૂછ્યું નથી. ભાવ પૂછનાર આગળ મિથ્યા વિકલ્પા કરી પોતાની સંસારસ્થિતિ વધારે છે અને બીજાને તેવું નિમિત્ત કરે છે.
ઓછામાં પૂરું કોઈ સંશોધક આત્મા હશે તે તેને અપ્રયેાજનભૂત પૃથ્વી ઇત્યાદિક વિષયામાં શંકાએ કરી રોકાવું થઇ ગયું છે. અનુભવધર્મ પર આવવું તેમને પણ દુર્લભ થઈ પડ્યું છે.
આ પરથી મારું એમ કહેવું નથી કે કોઇ પણ અત્યારે જૈન દર્શનના આરાધક નથી; છે ખરા, પણ બહુ જ અલ્પ, બહુ જ અલ્પ....પણ તે આંગળીએ ગણી લઈએ તેટલા હશે. બાકી તેા (જૈન) દર્શનની દશા જોઇ કરુણા ઊપજે તેવું છે; સ્થિર ચિત્તથી વિચાર કરી જોશેા તા આ મારું કહેવું તમને સપ્રમાણ લાગશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org