________________
૧૧૦
શ્રી મદ્દ રાજચંદ્ર જીવનકળા મેહ રહિત પુરુષનું બધેલું નિગ્રંથ દર્શન વિશેષ માનવા ગ્ય છે.....
અત્યારે વીતરાગદેવને નામે જૈનદર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મત, તે મતરૂપ છે, પણ સતરૂપ જ્યાં સુધી વીતરાગ દેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તતા ન હોય ત્યાં સુધી કહી શકાય નહીં.
એ મતપ્રવર્તનમાં મુખ્ય કારણે મને આટલાં સંભવે છે (૧) પિતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિગ્રંથ - દશાની પ્રાધાન્યતા ઘટાડી હોય; (૨) પરસ્પર બે આચાર્યોને વાદવિવાદ; (૩) મેહનીય કર્મને ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ
જવું; (૪) પ્રહાયા પછી તે વાતનો માર્ગ મળતું હોય તે પણ
તે દુર્લભધિતાને લીધે ન ગ્રહ, (૫) મતિની ન્યૂનતા; (૬) જેના પર રાગ તેને છંદમાં પ્રવર્તન કરનારા ઘણાં
મનુષ્ય; (૭) દુસમ કાળ; અને (૮) શાસ્ત્રજ્ઞાનનું ઘટી જવું.....
સર્વને સરખી બુદ્ધિ આવી જઇ, સંશોધન થઈ, વાતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જે કે બને તેવું નથી, પણ સુલભબોધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યા રહે, તે પરિણામ શ્રેષ્ઠ આવે, એ વાત મને સંભવિત લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org