________________
અ - ૧૦૫
વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ
રાધીને રૂડું કહે, બમણે આણે રેષ; તાતા તેલે જળ પડે, ભડકે થાય સદેષ શાંતિ મળે સદ્ધર્મથી, ભ્રાંતિ ટળે ભલી ભાત; કાંતિ દીપે કનક સમી, વિમળ વધે મન વાત. કાયા માયા ક્ષણિક છે, ઈન્દ્ર-ધનુષ્યને રંગ; આકાશી જિલ્લા અને મૃગજળ તણ તરંગ. હેય સરસ પણ ચીજ તે, એગ્ય સ્થળે વપરાય કેમ કટારી કનકની, પેટ વિષે ઘોંચાય ?”
બુદ્ધિપ્રકાશમાં ઈ. સ. ૧૮૮૫માં “શૂરવીર સ્મરણ” વિષે શ્રીમદે લખેલા સયા વીશ છપાયા છે. તેમાં રણરંગનો અજબ ચિતાર બહુ જોશદાર અને પ્રબળ વેગવાળી છટાદાર ભાષામાં આપી છેવટના ત્રણ સયામાં એવા વીરેના હાલના વંશજ બાપનું નામ બોળે એવા થયાથી જે અકથ્ય ખેદ થાય છે તેનું ચિત્ર કરુણરસ રેલાવી આબેહૂબ વાંચનારનાં હૈયાં હલાવી મૂકે તેવું છે. લખેલી નકલ ઉપરથી ઉદાહરણરૂપે નીચે આપ્યા છે –
સયા “ઢાલ ઢળકતી ઝબક ઝળતી, લઈ ચળકતી કર કરવાલ, ખરેખર ખૂંદે રણમાં ત્યાં, મૂછ મલકતી, ઝગતું ભાલ; વેરીને ઘેરી લેતા ઝટ, ભરત ભૂમિના જય ભડવીર, અરે ! અરેરે ! આજ ગયા કયાં? રઢિયાળા એવા રણધીર. મારે જ્યાં માથામાં મુષ્ટિ, કરી નાખે ત્યાં કકડા ફોડ, ફરી અરિ નહિ આવે પાસે, મનની મૂકે મમતા મેડ;
૧. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ તરફથી પ્રકાશિત “સુબોધસંગ્રહમાં આ સવૈયા છપાયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org