SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા તેમણે સાત બેલ લખેલા છે. “તત્વજ્ઞાન” નામને તેમના વચનેમાંથી તૈયાર કરેલે નાને સંગ્રહ બહાર પડેલે છે. તેમાં મહાનીતિ'ના સાત સે બોલ આપેલા છે તે પણ આ અરસામાં લખાયેલા લાગે છે.૧ સત્તરઅઢાર વર્ષની ઉમ્મરે શ્રીમદે લખેલા દાર્જીન્તિક દેહરા એંશી પ્રાપ્ત થયા છે, તે અપ્રગટ છે. તેમાં નીતિ વ્યવહારની શિખામણ મુખ્ય છે. દરેક દેહરામાં ઘણું કરીને સિદ્ધાંતને પ્રથમ જણાવી તેને પુષ્ટ કરનાર દૃષ્ટાંત આપેલું છે. ઉદાહરણ – “ફરી ફરી મળવા નથી, આ ઉત્તમ અવતાર કાળી ચૌદશ ને રવિ, આવે કેઈક વાર અતિરદાન ઊપજે તદા, પરમાત્મા પરખાય; પડળ ઊતરે આંખનાં, તદા સર્વ દેખાય. પ્રિય કાવ્ય પંડિતને, દૃષ્ટાંતિકને દાવ જેમ મેદથી મેદકે બ્રાહ્મણ જનને ભાવ. બે બેલેથી બાંધી, સર્વ શાસ્ત્રને સાર; પ્રભુ ભજે, નીતિ સજે, પરઠે પરે૫કાર, દેશ-ઉદય-ઉપગનાં, વીર નરેનાં શિર; પ્રસૂતા પીડા ટાળવા, સેપે સપૂત શરીર વચને વલ્લભતા વધે, વચને વાધે વેર; જળથી છ જગત આ, કદી કરે પણ કેર ૧. “સાતસો મહાનીતિ હમણાં......એક દિવસમાં તૈયાર કરી છે.” સાતમી આવૃત્તિ શ્રીમદ્ રાજચંદ્ર. ૨. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ તરફથી પ્રકાશિત “સુબોધસંગ્રહમાં છપાયા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy