SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા થઈ શકે છે. અંતઃકરણની શુદ્ધિ સિવાય થઈ શકે નહીં, શિખડાવ્યું આવડે તેમ નથી. એમ ખુલાસો કર્યો હતે.” સં. ૧૯૪૩માં શ્રીમની મુંબઈમાં સ્થિતિ હતી; અને ત્યાં પણ અનેક સ્થળે અવધાનના પ્રયોગ કરી બતાવેલા. મુંબઈમાં પિતાની શતાવધાન (સે અવધાન) કરવાની શક્તિ ફરામજી કાવસજી ઇસ્ટિટ્યુટમાં અને અન્ય સ્થળોએ જાહેર પ્રજા સમક્ષ તેઓએ દર્શાવી હતી. આ આશ્ચર્યકારક સ્મરણશક્તિની ક્રિયાઓથી તેઓને પ્રજાએ એક સુવર્ણચંદ્રક (ચાંદ) આપે, અને “સાક્ષાત્ સરસ્વતીનું બિરુદ આપવામાં આવ્યું હતું. . સ. ૧૮૮૬-૮૭માં “મુંબઈ સમાચાર”, “જામેજમશેદ, ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા”, “ગુજરાતી”, “ઇડિયન સ્પેરેટર ઇત્યાદિ ગુજરાતી અને અંગ્રેજી છાપામાં શ્રીમની અદ્ભુત શક્તિઓ વિષે લેખે આવતા હતા. તા. ૨૪-૧-૧૮૮૭ના ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા” પત્રમાં અંગ્રેજીમાં છપાયું છે કે રાજચંદ્ર રવજીભાઈ નામના ઓગણીસ વર્ષની વયના એક યુવાન હિંદુની અદ્ભુત માનસિક શક્તિઓનું પ્રદર્શન નિરીક્ષણ કરવા અર્થે ગયા શનિવારે સાંજે ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યુટમાં દેશી ગૃહસ્થને એક ભવ્ય મેળાવડે થયું હતું. આ પ્રસંગે ડે. પિટરસને અધ્યક્ષપદ લીધું હતું. અવધાન ઉપરાંત અલૌકિક સ્પર્શેન્દ્રિય શક્તિ ધરાવતા તે જોવામાં આવ્યા હતા. તેઓને પ્રથમ એક ડઝન જેટલાં જુદાં જુદાં કદનાં પુસ્તકે બતાવવામાં આવ્યાં હતાં અને તેમને તેનાં નામ જણાવવામાં આવ્યાં હતાં, ત્યાર પછી તેઓની આંખે પાટા બાંધી બંધ કરવામાં આવી હતી, અને તેઓએ તેમના હાથમાં જેમ જેમ પુસ્તકે મૂકવામાં આવ્યાં તેમ તેમ તે પુસ્તકનાં નામ હસ્ત વડે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy