________________
અવધાન
૧ મને અભ્યાસ સંબંધી પૂછ્યું છે, તેમાં ખુલાસે જે દેવાને છે, તે ઉપરની કલમની સમજણફેર સુધી દઈ શકતે નથી; અને જે ખુલાસો હું આપવાને છું તે દલીલેથી આપીશ.
જ્ઞાનવર્ધક સભાના તંત્રીને ઉપકાર માનું છું, એ આ અનુચરને માટે તસ્દી લે છે તે માટે.
આ સઘળા ખુલાસા ટૂંકામાં પતાવ્યા છે. વિશેષ જોઈએ તે માગે.”
શ્રીમના બનેવી ચતુર્ભુજભાઈ લખે છે : “મુંબઈ જતાં પહેલાં જેતપુર પધારેલા ત્યારે જે પુરુષ જે હાથથી પાઘડી બાંધતે હોય તે ક્યા હાથથી બાંધે છે એ તેના માથાની આકૃતિ જોઈ પારખવાને અખતરે કરી બતાવ્યું હતું. પિતે દુકાનમાં બેઠા હતા તેમની સામે બહારથી માણસને ઉઘાડે માથે ઊભે રાખવામાં આવતાં તે જે વળની પાઘડી બાંધતે હોય તે પિતે કહી દેતા હતા. આશરે પંદર માણસની એમ પરીક્ષા કર્યા પછી એક પટેલને એવી રીતે ઊભે રાખતા પહેલાં શેઠ ઘેલા કાનજી તરફથી કહેવામાં આવેલું કે તે કહે ત્યારે એમ કહેવું કે તે વાત ખરી નથી, તમે કહો છો તેમ હું બાંધતે નથી, બીજા હાથથી બાંધું છું; તે પ્રમાણે તેણે કહ્યું, એટલે કૃપાળુશ્રી(શ્રીમદૂ)એ તે પ્રમાણે પાઘડી બાંધવા કહ્યું. પણ કૃત્રિમ રીતે તે બાંધવા લાગ્યા, તે બધાને સ્પષ્ટ લાગ્યું કે તે જૂઠું બોલ્યા છે. તે જોઈ પ્રેક્ષકને બહુ જ આશ્ચર્ય લાગ્યું. શી રીતે પરીક્ષા થઈ શકે છે? એમ કૃપાળુશ્રીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેની આકૃતિને અંતઃકરણમાં ભાસ લેતાં ડાબા જમણા પડખા તરફ ચિહ્ન પડવાથી તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org