________________
અવધાન
આમ કરેલાં બાવન અવધાનની લખાણ સંબંધે અહીં આગળ પૂર્ણાહુતિ થાય છે.
આ બાવન કામે એક વખતે મનઃશક્તિમાં સાથે ધારણ કરવાં પડે છે. વગર ભણેલી ભાષાના વિકૃત અક્ષરા સુકૃત કરવા પડે છે. ટૂંકામાં આપને કહી દઉં છું કે આ સઘળું યાદ જ રહી જાય છે. (જુ સુધી કોઈ વાર ગયું નથી). આમાં કેટલુંક માર્મિક સમજવું રહી જાય છે. પરંતુ દિલગીર છું કે તે સમજાવવું પ્રત્યક્ષને માટે છે. એટલે અહીં આગળ ચીતરવું વૃથા છે. આપ નિશ્ચય કરો કે આ એક કલાકનું કેટલું કૌશલ્ય છે ? ટૂંકા હિસાબ ગણીએ તાપણું ખાવન શ્લોક તા એક કલાકમાં યાદ રહ્યા કે નહીં ? સાળ નવા, આઠ સમસ્યા, સાળ જુદી જુદી ભાષાના અનુક્રમવિહીનના અને બાર બીજાં કામ મળી એક વિદ્વાને ગણતી કરતાં માન્યું હતું કે ૫૦૦ શ્લોકનું સ્મરણુ એક કલાકમાં રહી શકે છે. આ વાત હવે અહીં આગળ એટલેથી જ પતાવી દઇએ છીએ.
–તેર મહિના થયાં દેહાપાધિ અને માનસિક વ્યાધિના પરિચયથી કેટલીક શક્તિ દાટી મૂક્યા જેવી જ થઇ ગઈ છે. (બાવન જેવાં સેા અવધાન તે હજુ પણ થઇ શકે છે) નહીં તે આપ ગમે તે ભાષાના સે। શ્લોકા એક વખત એલી જાએ તે તે પાછા તેવી જ રીતે યાદીમાં રાખી ખેાલી દેખાડવાની સમર્થતા આ લખનારમાં હતી. અને તે માટે તથા અવધાનાને માટે સરસ્વતીના અવતાર' એવું ઉપનામ આ મનુષ્યને મળેલું છે. અવધાન એ આત્મશક્તિનું કર્તવ્ય મને સ્વાનુભવથી જણાયું છે. આપના પ્રશ્ન આવા છે કે એક કલાકમાં સા શ્લોક સ્મરણભૂત રહી શકે ?’ ત્યારે તેના માર્મિક
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International