________________
અવધાન
૯૫
તેને વિશેષ અભ્યાસ કરવા કાશીક્ષેત્ર તરફ જવા વિષે સલાહ પુછાવેલી તેને ઉત્તર શ્રીમદે અઢાર વર્ષની ઉંમરે આપે છે, તે અનેક રીતે વિચારવા ગ્ય હોવાથી નીચે આપે છે –
વવાણિયા, મિ. ૨. ૬-૧-૮-૧૯૪૨ મુગટમણિ રવજીભાઈ દેવરાજની પવિત્ર જનાબે,
વવાણિયા બંદરથી વિ. રાયચંદ વિ. રવજીભાઈ મહેતાના પ્રેમપૂર્વક પ્રણામ માન્ય કરશેજી. અત્રે હું ધર્મ–પ્રભાવવૃત્તિથી કુશળ છું. આપની કુશળતા ચાહું છું. આપને દિવ્ય પ્રેમભાવભૂષિત પત્ર મને મળે, વાંચીને અત્યાનંદાર્ણવતરંગ રેલાયા છે; દિવ્ય પ્રેમ અવકન કરીને પરમ સ્મરણ આપનું ઊપજ્યું છે. આવા પ્રેમી પત્રો નિરંતર મળવા વિજ્ઞાપના છે અને તે સ્વીકૃત કરવી આપને હસ્તગત છે. એટલે ચિંતા જેવું નથી. આપે માગેલા પ્રશ્નોને ઉત્તર અહીં આગળ આપી જવાની રજા લઉં છું.
પ્રવેશક – આપનું લખવું ઉચિત છે. સ્વસ્વરૂપ ચીતરતાં મનુષ્ય ખચકાઈ જાય ખરો. પરંતુ સ્વસ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિને કિંચિત્ ભાગ ભળે ત્યારે, નહીં તે નહીં જ, આમ મારું મત છે. આત્મસ્તુતિને સામાન્ય અર્થ પણ આમ થાય છે કે પિતાની જૂઠી આપવડાઈ ચીતરવી. અન્યથા આત્મસ્તુતિનું ઉપનામ પામે છે, પરંતુ ખરું લખાણ તેમ પામતું નથી; અને જ્યારે ખરું સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય તે પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ? માટે સ્વસ્વરૂપની સત્યતા કિંચિત્ આપની માગણી ઉપરથી જણાવતાં અહીં આગળ મેં આંચકો ખાધ નથી, અને તે પ્રમાણે કરતાં ન્યાયપૂર્વક હું દોષિત પણ થયેલ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org