________________
२४
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
| (શાર્દૂલવિક્રીડિત) અંગે શૌર્ય દમામ નામ ન મળે, સત્તા રહી ના જરી ! પ્રેમી કાયરતા તણે અધિક છે, શાસ્સે થા એ ખરી; ભાગી જાય જરૂર તે ભયભર્યો, રે! દેખતાં કેસરી, તે માટે રથ ચંદ્રને હરણિયાં રેડી દીધાં શ્રી હરિ ! !”
૨. કજોડાં માટે હિંદુઓને તિરસ્કાર – એ વિષય આપ્યું હતું :
(મનહર છંદ) “કુળ મૂળ પર મેહી, શૂળ હાથે કરી રે, ભૂલ થકી ધૂળ કેમ કરે નિજ બાલિકા ? કરે છે કસાઈ થકી, એ સવાઈ આર્ય ભાઈ, નક્કી એ નવાઈની ભવાઈ સુખ દાળિકા ચેતે ચેતે ચેતે રે ચતુર નર ચેતે ચિત્ત, બાળ નહીં હાથે કરી, બાળ અને બાલિકા; અરે ! રાયચંદ કહે, કેમ કરી માને એહ, ચડી બેઠી જેની કાંધે કાંધ ધરી કળિકા !”
શીવ્રતાથી કરેલાં કાવ્યમાં પણ ઝમક અને કલ્પના કેટલાં મનહર છે?
૩. કવિનું નામ પોતાના પિતાના નામ સહિત આવે તથા તે જ દેહરામાં મહાત્માને પ્રણામ થાય, એ વિષય આ હતે.
(દેહરો) રાખે યશ ચંદ્રોદયે, રહે વધુ-જીવી નામ, તેવા નરને પ્રેમથી, નામ કરે પરણુમ,
પ્રેફેસર રવજીભાઈ દેવરાજે શ્રીમને સ્મરણશક્તિ વિષે પ્રશ્ન પૂછે : “એક કલાકમાં સે લેક સ્મરણભૂત રહી શકે ?' તથા કોલેજમાં ન્યાયશાસ્ત્ર (Logic) શીખવાય છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org