SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ માથે ચઢાવી કારણ કે સંધના હુકમનો અનાદર મુનિમહારાજ પણ ન કરી શકે તે મારા જે પામર કાણું કેમ કરી શકે ! સૌરાષ્ટ્ર રત્નોની ભૂમિ છે. આપણું વિજયધર્મસૂરિજી પણ સૌરાષ્ટ્રના રત્ન થઈ ગયા. મહાપુરુષોના ગુણ ગાવા તે આપણે ધર્મ છે. પણ એકલા ગુણ ગાવાથી આપણું કલ્યાણ નથી. બેંકમાં ઢગલાબ ધ નાણાં પડેલી છે. પણ ત્યાંના કલાર્કોને તે ગણીને કાળા હાથ કરવા પડે છે. મુનિમકારાજના તમે ઢગલાબંધ વ્યાખ્યાનો સાંભળે છે પણ તેને જીવનમાં ઉતારો તે કલ્યાણ થઈ જાય. એકલે પીળા થë કરવાથી જન થવાતું નથી. જનધર્મ પરિધર્મ ગણાય છે. અહિંસા પરમધર્મ એ જનધર્મને સિદ્ધાંત છે. આ ધર્મ કાયરાનો નથી. આપણામાં એક ખરે જન પેદા થયો છે. તે આજે અહીંથી ૫૦૦૦ માઈલ છેટે બેઠે છે. તેને તે નબળે માણસ દશ ગુલાંટે ખવડાવી દે તેમ છે. પરંતુ તેમનામાં જે અહિંસાનું તેજ ભરેલું છે. તે આખી દુનિયાને ડોલાવી રહ્યું છે. ગાંધીજીએ તે બતાવી આપ્યું છે કે અહિંસા એ કાયરોને ધર્મ નથી. અહિંસા એ વીરાને ધર્મ છે. જેનો તે વીર અને બહાદુર હેવા જોઈએ પણ તમારા અંદર અંદરના ઝઘડા સાંભળી મને દુઃખ થાય છે. તમને ઝઘડા શેભતા નથી. હું તે જૈન કેમને સાચે સિપાઈ બનવા ઈચ્છું છું. તમારામાં દયા અને પ્રેમને સાગર હૈ જોઈએ. અહિંસા જીવનમાં ઉતારવી જોઈએ. આપણા કરોડે ભાઈબહેનેને એક ટંક પરું ખાવાનું મળતું થથી અને લાખે ભૂખે મરે છે. શું જૈનધર્મ એમ શીખવે છે કે પશુપક્ષીઓની રક્ષા કરવી અને મનુષ્યની રક્ષા ન કરવી, જૈન બહેનને કહીશ કે બારીક કપડાં જનધનની વિરુદ્ધ છે. હું જન બહેનેને નમ્ર પ્રાર્થના કરું છું કે તેઓએ હાથે કંતાથેલા સુતર અને હાથે વણાયેલા કાપઠ પહેરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. ગાંધીને અર્ધનગ્ન ફકીર કહેવામાં આવે છે. પણ બ્રિટિશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy