________________
૪૮
સરકારમાં માન મળે છે. જ્યારે કેલર–નેકટાઈવાળાને કેાઈ ભાવ પૂછતું નથી. દેશને સમૃદ્ધ આઝાદ બનાવવા તૈયારીઓ કરે. મેં જે કાંઈ કહ્યું છે. તે તમારા પ્રત્યેના અગાધ પ્રેમને લઈને જ કહ્યું છે. ઈશ્વર સર્વનું કલ્યાણ કરે.
આ પછી શ્રી મણીલાલ ઠારીએ બુલંદ અવાજે મનનીય વ્યાખ્યાન આપ્યું. મારે જન્મ જૈન કેમમાં થયે છે પણ ખરો જેન વર્તમાનકાળમાં ગાંધીજી છે. શ્રી વિજયધર્મસૂરિજીએ જીવનમાં જૈનધર્મની, જૈન સંપ્રદાયની તથા જૈન સાહિત્યની ભારે સેવા કરી છે. જેમાની પૂર્વની જાહોજલાલી આજે ક્યાં જોવા મળે છે. હવે તે જાગો અને પ્રગતિના પંથે પ્રયાણ કરે.
મુનિરાજને પ્રાર્થના કરી કહું છું કે તમારું સ્થાન શહેરા કે નાના ઉપાશ્રયે માં નથી, પરંતુ રાષ્ટ્રના કલ્યાણમાં છે. ગામડાઓમાં તમારો સંદેશે ઘેરઘેર પહોંચાડે. રાષ્ટ્રકલ્યાણના મહાન કાર્યમાં તમારું તપાબળ રેડો અને તમારે પુરપાર્થ પ્રગટાવો. યુવાનમિત્રો, રાષ્ટ્રયજ્ઞમાં તમારો ફાળો આપે અને ભારતની આઝાદીના તમે ઘડવૈયા બને.
આ પછી ખાદીનું વેચાણ થયું તેમાં રૂ. ૫૦૦૦ ની ખાદી વેચાઈ હતી તેમાં થી વીરચંદ પાનાચંદ તરફથી રૂ. ૧૦૦૦, શ્રી ભોગીલાલ લહેરચંદ તરફથી રૂ. ૧૦૦૦ અને શ્રી મેઘજી સોજપાલ તરફથી રૂ. ૧૦૦૦ ની રકમ હતી.
Jain Education International
Jain Education International
For Personal & Private Use Only
For Persona
www.jainelibrary.org