SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને વિચારોમાં પરિવર્તન થાય છે. હૃદયમાં મોટે ખળભળાટ થયા અને ઊંઘ હરામ થઈ ગઈ. સંસારની અસારતાનું જ્ઞાન થાય છે અને વૈરાગ્યભાવ જાગી ઊઠે છે. ભાવનગર નાસી જાય છે. ત્યાંના શાંતમૂર્તિી વૃદ્ધિચંદ્રજી મહારાજને દીક્ષા માટે પ્રાર્થના કરે છે, પણ એ ચેલાના ભી નહતા. તેઓ મહાન ત્યાગી, વૈરાગી અને શાસ્ત્રવેત્તા સખ્ત હતા, નસાડી ભગાડી દીક્ષા આપવામાં પાપ સમજતા હતા. તેમણે માતાપિતાની રજા લઈને આવવા જણાવ્યું. મૂળચંદભાઈ મૂંઝાયા પણ વૈરાગ્યભાવના જ્વલંત તેથી રજા મેળવી, ગુરુએ દીક્ષા આપી, મૂળચંદ મુનિધર્મવિજય બન્યા, મુનિ ધર્મવિજય ગુરુભક્તિમાં લાગી ગયા. પ્રતિક્રમણ ન જાણનાર ગુરુદેવના ગાશીર્વાદથી જ્ઞાનને પ્રકાશ મેળવ્યું. આત્મબળ ભારે, નીડરતા પણ એવી જ. ગુરુદેવના જીવનના ઘણા સ્મરણે છે, પણ આપણે મુખ્ય મુખ્ય બાબતો જાણી લઈએ. વિજયધર્મસૂરિ એટલે અકર્મયતાને ઉખેડી ફેંકી દેનાર સાચાવીર, વિષધર્મસૂરિ એટલે ઉત્સાહની જાજવલ્યમાનમૂતિ, વિજયધર્મસૂરિ એટલે દઢતા અને ધીરજને પહાડ, વિજયધર્મસુરિ એટલે ચારિત્રનું ઝળહળતું ભામંડળ, તેમની યશપતાકા ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, મેવાડ, માળવા, દક્ષિણ, પૂ. પી, બંગાળ, તમામ સ્થળે ફરકી રહી છે. એટલું જ નહિ પણ યૂરોપ અમેરિકા સુધી તેમના જીવનની મહાગ્ય ગાથાઓ ગવાઈ રહી છે. તેમની વિશ્વપ્રસિદ્ધિ તેમના પુરષાર્થમય જીવનને આભારી છે. તેમણે દૂર દૂર દેશમાં પાદવિહાર કરી જૈનધર્મને પડહ વગડાવ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy