________________
૪૦
પરદેશી કાપડે દેશમાં બેકારી ભૂખમરે વધાર્યો છે, એટલે જે તમે તમારા દેશનું હિત ચાહતા હે તે તમારા ઘરમાં, તમારા અંગ પર પરદેશી કાપડનું એક ચીંથરું પણ ન હોવું જોઈએ. મહાત્માગાંધીજીએ સ્વદેશી, ખાદી, રેંટીઓ અને પરદેશી કાપડના ત્યાગ માટે જે સંદેશ આપે છે તે હૃદયમાં ધારણ કરે. જાગો અને કર્તવ્યપરાયણ થાઓ. સમગ્ર જગતમાં જીવનકલહ વ્યાપી રહ્યો છે. આ સંક્રાન્તિકાળ છે. સ્વાતંત્રય મેળવવું હોય અને ટાઢે પાણીએ ખસ કાઢવી હોય તે ખાદીના પૂજારી બની જાઓ.
ખાદીમાં અનેક લાભ છે. ખાદીમાં સાદાઈ છે. સંયમ છે. ખાદીથી જરૂરીયાત ઓછી થઈ જાય. ખર્ચા ઘટી જાય, પૈસાનો બચાવ થાય. ખાદીથી દેશના ગરીબેને રાજી મળે, તેમના ધંધા સજીવન થાય. ખાદીના ઉદ્યોગથી ભૂખે મરતા, રીબાતા દેશના કરડે દુઃખીયા માણસે રોટલા ભેગા થઈ શકે. ખાદીની વપરાશ અને ભાવના વધતાં જીવનમાં સાદાઈ આવી જશે, સરળતા આવશે. ઊંચનચ બધામાં સમાનતાની ભાવના જાગૃત થાય. આથી ચામડી અને શહેરો વચ્ચે પરસ્પરને લાભદાયક આર્થિક સંબંધ અને વ્યવહાર બંધાય. ઘરેઘરે રેંટિયા ગુંજવા જોઈએ. બે તોલા જેટલું પણ માણસ રોજ કાંતે તો વરસદહાડે અઢાર તલ જેટલું કંતાવાથી પિતાનાં કપડાં પર પાડી શકાશે.
રેટિયે સ્વાવલંબી જીવનનું નિર્દોષ સાધન છે. એ સનાતન ગૃહ-ઉદ્યોગની મૂર્તિ દરેક હિન્દીના ઘરમાં પુનઃ પ્રતિષ્ઠિત થવી જોઈએ. એમાં અર્થલાભ છે, ધર્મલાભ છે અને દેશહિત છે. એમાં ગરીબને અનુકશ્માદાન છે.
બહેને રેશમી સાડી કેમ પહેરી શકે? શભા અને સૌંદર્ય તે શીલમાં છે. સર્વોત્તમ આભૂષણું શીલ છે. બારીક, ઝીણું અને ઉલ્કટ કપડાંથી તે શીલ જોખમાય. ખાદીથી અંગોપાંગ બરાબર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org