SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ રાષ્ટ્રધર્મ મુનિશ્રી રાષ્ટ્રપ્રેમી હતા એટલું જ નહિ પણ સ્વદેશી અને ખાદીના હિમાયતી હતા, તે માત્ર વાતમાં નહિ પણ પોતે શુદ્ધ ખાદી વાપરતા અને હજારોને ખાદી પહેરવા પ્રેરણા આપતા. એટલું જ નહિ પણ પ્રભાવનામાં ખાદીનો પ્રચાર કરનાર તે પ્રથમ જ જનમુનિ હતા તેમણે રાષ્ટ્રધર્મ અને સ્વદેશી પર મનનીય પ્રવચન આપ્યું હતું તે આજે પણ પ્રેરણા આપી જાય છે. વર્તમાન પરિસ્થિતિનો વિચાર તો કરે. આજે આપણું રાષ્ટ્રીયજીવન ગંભીર સ્થિતિમાં છે. રાષ્ટ્રધર્મ તરીકે દરેક હિન્દીની ફરજ છે કે તેણે સ્વદેશી ભાવના પિષવી જોઈએ. પિતાની જરૂરી યાત ઓછી કરી ચાલે ત્યાં સુધી દરેકે દરેક ચીજ સ્વદેશી જ વાપરવી જોઈએ. ખાસ કરી પરદેશી કાપડને સંપૂર્ણ ત્યાગ કરી શુદ્ધ ખાદીના પહેરવેશમાં પિતાને પવિત્ર દેશપ્રેમ પ્રકાશો જોઈએ. અહિંસાની દષ્ટિએ પણ પરદેશી કાપડ વાપરવા ન ઘટે. જેની પાછળ લાખો જાનવરો કતલ થતાં હેવ અને લાખો મા ચરબીના વપરાશથી જે બનતું હોય તેવું નાપાક કપડું અહિંસા ધર્મ કેમ વાપરી શકે. ડુંગળી ખાવામાં જે દોષ છે તેના કરતાં હજારગણું – અનતગણું પાપ ચરબીવાળાં નાપાક કપડાં વાપરવામાં છે. પ દેશી કાપડે દેશના ધંધાનો નાશ કર્યો છે. પરદેશી કાપડ પાછળ દેશનું કરોડોનું ધન પરદેશ ઘસડી જવામાં આવે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy