________________
૩૮
જઈ ખંડેર બની રહ્યાં છે. ત્યાં ધાર્મિકેની જાગૃતી હતે તો આ સ્થિતિ આવતા
ત્યારે દાનની દિશા કઈ? જેઓને પિતાની આજીવિકાનાં પણ કફ છે, તેઓ મંદિરોને શું સંભાળી શકશે? એક બે વખત જમણ પીરસી દેવાથી કંઈ સાધમિકેના ઘર નથી બંધાઈ જતાં. સાધર્મિક વાત્સલ્ય તે સાધર્મિ ને તેમના જીવનનિર્વાદના રસ્તા સરળ કરી આપવામાં છે અને ગ્ય કેળવણીના માર્ગો ખુલા કરી સાધર્મિક બાળકુવકને વિદ્યાની લાઈન પર આગળ વધારવામાં છે.
આ સાચું સાહમવરછલ છે. જમણવારમાં માનનારા આજે ભીંત ભૂલી રહ્યા છે. કરવાલાયક સૂઝતુ નથી અને આડે માગે પિસાનો ધૂમાડો કરાય છે? પ્રજાને ભરખી રહેલી બેકારી, ગરીબાઈ અને અજ્ઞાન દશા તરફ અખિમીંચામણાં કરવાં બહુ મુર્ખાઈભરેલું છે. એમાં ધર્મ નથી પણ ધર્મદ્રોહ છે, શાસનની અધોગતિ છે. ફરીને કહું છું કે દાનની દિશા સમજે ! અને ઉપયોગી દિશામાં દાનને પ્રવાહ વહેવડાવી ધર્મ, સમાજ અને રાષ્ટ્રનું ભલું થાય અને એ રીતે શાશનને યજયકાર થાય તેમ પ્રયતન ફેરવે. ખરો દાનધર્મ સમજે અને વિશાળ દષ્ટિએ ઉદાર દયાના ઉપયુક્ત ઝરણું વહેવડાવી હજારો લાખો દુઃખી હૃદયના શુભ આશીર્વાદ મેળવે, એમાં જીવનનું કલ્યાણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org