________________
૩૭
લેખાય છે જે પ્રજાજીવનનાં વ્યવહારિક અને ધાર્મિક બને અંગેને પોષણકર્તા હેય, જે ધન પ્રજાની અનુષ્પામાં ઉપયુક્ત થઈ શકે તે ધનની વૃતિ કરવી સમુચિત છે અને એમાં વધુ પુણ્ય છે એ સમજાવું જોઈએ. જ્યાં સુધી દેવદ્રવ્યની મર્યાદા અતિ સંકીર્ણ મનાતી રહે ત્યાં સુધી તે ધનના ભંડારો ખાલી પડ્યા રહેશે તે ડરવા જેવું નથી, સામાજિક ધનમાથા ધર્મના ક્ષેત્રને પુષ્ટિ મળવાને પૂર્ણ અવકાશ છે.
અત્યારે તે દેવદ્રવ્યના ભંડારો સરકારી લોનની દિશામાં ઠલવાય છે અને પછી તેને ઉપયોગ કતલખાના, કારખાનાં, લશ્કરીવ્યુહ અને લડાઈ વગેરે મહાપાપનાં કામમાં થાય છે દેવધનના આ ઉપગ એક મંદિરનું ધન તેના કારભારીએ બીજ મંદિરની ભીંત સમારવાને આપતાં આંચ ખાય અને જાણે પોતે જ દેવધનના માલિક હેય એવું સ્વછંદ વર્તન ચલાવે એ કેટલી દયામણું સ્થિતિ છે? પૂણ્યના નામે એવું ધન વધવું અને એને સદુપયોગ ન થતાં પ્રજાજનનાં કલ્યાણમાં તે તદ્દન નકામું રહેતાં બાહ્ય આડબરના ભભકા બતાવવામાં અને ગોટાળા કે બખેડા ચલાવવામાં કામ લાગે એવી સ્થિતિ આ યુગમાં હવે ના નભી શકે. દાનની દિશા સમજે, સમજી જાઓ કે શ્રાવક શ્રાવિકા વર્ગ પર તમામ ક્ષેત્રને આધાર છે. તમામ ધર્મસંસ્થાઓ તેમના પર અવલંબિત છે. તેમની પુષ્ટિ પર ઈતરની પુષ્ટિ છે. આજે તે વર્ગ બેકારીથી, ઉદ્યોગના અભાવથી અને કેળવણુના સાધન નહિ મળવાથી સીદાતે જાય છે.
ધાર્મિકે વગર ધર્મ હેય? લાંબી નજર કરતાં માલુમ પડશે કે જયાં શ્રાવકોના ઘર તારાજ થઈ ગયાં છે, ત્યાં સારસંભાળ ખનાર કોઈ ન હોવાથી દેરાસરો પશુપંખીઓના આવાસ બની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org