________________
કોટમાં જે-જેતરની વિશાળ સભામાં મુનિશ્રીએ “સાત્વિક
સ્મારક' વિષે જનસમાજને શક્તિશાળી–પ્રાણવાન બનવા હાકલ કરી હતી તેનો સારાંશ
- * - નાના
“જ્યાં તમારી સલામતી નથી ત્યાં તમે દહેરાસરો શું સાચવી શકવાના હતા સાધ્વીઓનું રક્ષણ કેમ કરી શકવાના હતા? તમારે જીવવું હોય, જૈન સમાજે પ્રાણવાન, શક્તિશાળી, બહાદુર, નિબક બનવું હોય તો તમારી પ્રજાને પ્રાણવાન, બળવાન બનાવ્યા વિના છૂટકે નથી, એ બાળકેમાં વકત્વ રડાશે તે ભવિષ્યમાં તે નીડર બનશે. ધર્મ સાધન અને ધર્મ રક્ષણ પણ બળ તથા શક્તિ પર અવલંબિત છે
ભગવાન મહાવીર દેવના પિતા સિદ્ધાર્થ રાજાની દિનચર્યામાં વ્યાયામનો ઉલ્લેખ છે. કલ્પસૂત્રમાં તે આવે છે. કુમારપાળની વ્યાયામક્રિયાનું વર્ણન પણ મળે છે.
શ્રી હરિભદ્રસૂરિ ધર્મબિન્દુમાં ફરમાવે છે કે બળને હાસ થતાં, બળને પુનઃ સતેજ કરવા માટે શક્તિ ખીલવવા યોગ્ય ઉપાશે લેવા ઘટે.
ગોવિંદજી શેઠ તે શહીદ બની ગયા. તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તે સંગઠન સાધે, ભ્રાતૃભાવને ખીલ, સમાજના બચાબચામાં શક્તિને સંચાર થાય, સૌ બહાદુર, નીડર, વ્યાયામવિર બને તેવા પ્રયાસો કરે. સંગઠન સાધી હિન્દુ ભાઈઓને પણ
પના અને અહિંસા એ શૂરવીરોનું શસ્ત્ર છે તે બતાવી આપે.
જિન સમાજને આજે નીડર, બહાદુર, શક્તિશાળી, પ્રાણુવાન, વીર, વીરાંગનાઓ અને બાળવીરોની જરૂર છે. તમારા પૈસાને સંગઠન અને અકયતા તથા નવી પેઢીને પ્રાણવાન બનાવવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org